________________
૧૫૮ : જૂનાગઢ અને ગિરનાર
ઉપર ચડાઈ કરી. તેણે ઘોઘા સુધીનાં ગામડાંઓ લૂંટયાં અને પ્રદેશ વેરાન કર્યો પરંતુ ઢસા આગળ ઠાકર વખતસિંહે નવાબને માર્ગ અવરોધી સજજ સામનો કર્યો. શત્રુસૈન્યના પ્રબળ ધસારા સામે જૂનાગઢનું સેન્ય ટકી શકયું નહિ, નવાબનાં ગાત્રો ગળી ગયાં. તેણે એક લાખ પંદર હજાર રૂપિયા લઈ કુંડલા તથા રાજુલા ઉપરના પિતાને હકક ભાવનગરને આપી દીધો અને ભાવનગરે નવાબની જોરતલબી કબૂલ કરી.
- તે પછી ચિતળના કાઠીઓ ઉપર ભાવનગરે ભીંસ કરતાં જૂનાગઢથી નવાબે છટમલાલ નાગર તથા જમાદાર અબ્દુલ્લાહ નીચે એક સૈન્ય કાઠીઓની મદદે કહ્યું પણ વખતસિંહે તેને હરાવી નાસી જવા ફરજ પાડી.
પ્રભાસપાટણના બ્રાહ્મણ
કલ્યાણ શેઠે પ્રભાસપાટણને સમપુરા બ્રાહ્મણે ઉપર શેખમિયાંએ નાખેલો વેરો વસૂલ લેવા સખ્તાઈ કરી તેથી બ્રાહ્મણોએ ત્રાણું કર્યું અને કુમારિકાને મારી તેને લેહી છાંટયું બ્રાહ્મણો ઉપવાસ ઉપર ઊતરતાં દેશાઈ ઉમિયાશંકર જીભાઈ તથા દેશાઈ વાધજી કહાનજી જૂનાગઢ ગયા અને નવાબને મળી આ વેરો માફ કરાવ્યો.'
આ કત્યથી કલ્યાણ શેઠ દેશાઈઓ ઉપર ક્રોધે ભરાયો. તેણે દેશાઈઓના હક્કોની અવગણના કરી દેશાઈ ઊંમયાશંકર ભાઈ દીવાન અમરજીના સગા ભાણેજ હતા તેથી પણ કલ્યાણ શેઠ તેમની જડ ખાદી નાખવા માગતો હતા પણ દેશાઈઓએ નવાબને મળી તેમને હરકત નહિ થાય તે રૂમકે મેળવ્યું.
1 વિગતો માટે જુઓ “પ્રભાસ અને સોમનાથ, શં. હ. દેશાઈ. 3 દેશાઈઓના ઇતિહાસની વિગતો માટે જુઓ પિતૃતર્પણ,-શ. હ. દેશાઈ. શ્રી કહાનદાસ
તાપીદાસના આત્મચરિત્રમાં જણાવ્યું છે તે ઉપરથી સમજાય છે કે ઉમિયાશંકર, જૂનાગઢના રાજ્યતંત્રમાં મોટી લાગવગ ધરાવતા તથા તે સમયના રાજપુરુષો અને યુધ્ધવીરમાં તેની ગણના થતી. તેમણે નવાં ગામો વસાવ્યાના, નવા વેરા વસૂલ લીધાના, માથા ભારે શો અને લુંયરાઓને જેર કર્યાના તેમાં કેટલાક પ્રસંગો નોંધવામાં આવ્યા છે.
2 આ કૂટનેટ માટે જુઓ પૃષાંક ૧૫૯.