SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ મુસ્લિમ સમય : ૧૧૯ રેકીને યુદ્ધ આપ્યું. તેમાં ફખરૂદ્દીન તથા સૈયદ અકીલખાન માર્યા ગયા. આ વર્ષમાં જ ગુલામમોહ્યુદીન મરી ગયું અને તેથી તેના ભાઈ અસદકુલીખાને જૂનાગઢની સનંદ મેળવી મીર ઈસ્માઈલને નાયબ તરીકે રાખ્યો. તે પછી સોરાબખાને મહારાજા અજીતસિંહના કહેવાથી મીર ઈસ્માઈલને જૂનાગઢમાંથી કાઢી મૂક્યો. મીર ઈસ્માઈલ સમુદ્રમાર્ગે સિંધમાં ચા ગયે અને ઈ. સ. ૧૭૩૪માં સોરાબખાન જૂનાગઢને ફોજદાર થયો. તે સાદકઅલીખાનને નાયબ તરીકે રાખી, વીરમગામની ફોજદારી મેળવી ત્યાં ગયો. તેને રતનસિંહ ભંડારીએ વીરમગામમાં પ્રવેશ કરવા દીધું નહિ અને સાદકઅલી ખાનની નિર્બળતાના પરિણામે પરગણામાં અરાજકતા વ્યાપી ગઈ તેથી ઈ. સ. ૧૭૩૭માં જૂનાગઢના જિદારપદે હઝબરખાન નિમાઈ આવ્યો. તેણે મીર દોસ્ત અલીને તેના નાયબ તરીકે મુકરર કર્યો. આ નાયબ સૈન્યોના પગારે ચૂકવી શકયો નહિ તેથી તેણે શેરખાનને ઘેઘાથી બોલાવી, ઈ. સ. ૧૭૩૮માં જૂનાગઢને પ્રાંત સોંપી આપે. હઝબરખાન આ જ વર્ષમાં ગુજરી ગયો. ઈ. સ. ૧૭૦૭માં આલમગીરના મૃત્યુ પછી એક પછી એક લા. પાદશાહેની નિર્બળતા, નાદીરશાહની ચડાઈ અને મરાઠાઓનાં આક્રમણથી મુગલાઈના પાયા હચમચી ગયા. શહેનશાહ નામના જ રહ્યા અને સુબાએ સ્વતંત્ર થઈ ગયા. તે સમયમાં એટલે ઈ. સ. ૧૭૪૮માં શેરખાન બાબીએ બહાદરખાન નામ ધારણ કરી સ્વતંત્ર રાજય કરવાનું શરૂ કર્યું.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy