SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ક્રિયા ઉદ્ધાર કરી, ઘણાં વરસ સુધી આનંદઘનજી સાથે વનવાસમાં રહ્યા હતા તેમ આત્મારામજી મહારાજ “જૈન તત્ત્વાદર્શમાં' બતાવે છે. ' આચાર્ય ક્ષિતિમોહનસેન આનંદઘનજીનો જન્મ વિ. સં. ૧૬૧૫ અને દેહોત્સર્ગ વિ. સં. ૧૭૩૨ દર્શાવે છે, પરંતુ તે કાળ સ્વીકાર્ય જણાતો નથી. “શ્રી આનંદઘનજીનો જન્મકાળ અષ્ટપદીના આધારે માનવામાં આવે તો ડો. વાસુદેવસિંહ એવો જુદો નિર્ણય તારવે છે કે જો ઉપાધ્યાય યશોવિજયજીનો દેહોત્સર્ગ વિ. સં. ૧૭૪૫ માં થયો હતો અને જો આનંદઘનજીનો દેહોત્સર્ગ ૧૭૩૨માં થયો હોય તો ઉપાધ્યાય યશોવિજયજીએ શ્રદ્ધેય આનંદઘનજીનાં દેહોત્સર્ગ વિશે સ્વાભાવિક રીતે પોતાનો વિષાદ પોતાની કવિતામાં પ્રગટ કર્યો હોય. પરંતુ યશોવિજયજી એ આવો કોઈ શોક વ્યક્ત કર્યો નથી. આથી ડો. વાસુદેવસિંહ આનંદઘનજીનો દેહોત્સર્ગ ઉપાધ્યાય યશોવિજયજી પછી વિ. સં. ૧૭૪૫ પછી થયેલો માને છે.” “શ્રી વિશ્વનાથ પ્રસાદ મિશ્ર આનંદઘનજીનો સમય વિ. સં. ૧૭૦૦ની આસપાસનો માન્યો છે. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઇ વિ. સં. ૧૯૫૦ થી ૧૭૧૦ સુધી અવશ્ય તેઓ વિધમાન હશે એમ માને છે. આ બધી વાતો પરથી જો ઉપાધ્યાય યશોવિજયજીનો જન્મ આશરે ૧૬૭૦ માનવામાં આવે તો આનંદઘનનો જન્મ આશરે ૧૬૬૦ ગણી શકાય. ડો. કુમારપાળ દેસાઇના મત આનંદઘનજી વિ.સં. ૧૬૬૦ થી વિ. સં. ૧૭૩૦ સુધી હયાત હશે એમ માની શકાય. આનંદઘનજીની જન્મભૂમિ - કવિશ્રી આનંદઘનજીની જન્મભૂમિ કઈ હતી? તેઓ કઈ જ્ઞાતિના હતા? કોના પુત્ર હતા? વગેરે વિશે આધારભૂત હકીકતો મળતી નથી. કોઈ રાસરૂપે કે ચરિત્રરૂપે પણ કોઈએ લખી નથી. તેથી તેમના વિશે ૧ જૈનતત્ત્વદર્શન. પૂ. આત્મારામજી મહારાજ પૃ. ૫૮૧ २. अपभ्रंश और हिन्दीमें जैन रहस्यवाद. डो.वासुदेवसिंह પૃ. ૨૦૪ સે ૨૦૬ ૩. નાનંઃ વિત્ત-વિશ્વનાથપ્રસામિશ્ર ૫. ૨૬
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy