________________
-
41
અનુભવ રસ જાતિ ન પૂછો સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન,
મોલ કરો તરવાર કા, પડી રહન દો મ્યાન. તરવારની કિંમત તેની ધારથી થાય છે, નહિ કે તેના મ્યાનથી, તેવી રીતે સાધુસંતોની કિંમત તેમના સ્થૂલજીવનથી કે ક્રિયાથી નહીં, પણ ક્રિયા કરનાર અખંડ આત્મતત્ત્વથી થાય છે.
અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજના જન્મ કાળ વિષે તથા જન્મ સ્થળ વિષે જુદા જુદા મત પ્રવર્તે છે, કારણ કે તે વિશે નક્કર પુરાવા મળતા નથી.
- આનંદઘનજીના જન્મસ્થળ કે જીવનકાળ વિશે કોઈ બાબત કે આંતરિક પ્રમાણો હજુ સુધી મળ્યાં નથી. કોઈ પાદુકા, કોઈ શિલાલેખ કે કોઈ ચરિત્રકૃતિ તેમના વિશે ઉપલબ્ધ નથી. આનંદઘનજીએ પોતે પણ પોતાની કૃતિઓમાં પોતાના જીવન વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી. તેમણે તેમાં પોતાના ગુરુનું કે ગુરુબંધુનું કે પાટપરંપરાનું કે કૃતિના સર્જનના સ્થળનું નામ પણ લખ્યું નથી. એટલે એ વિશે તર્ક અને અનુમાનને આધારે જ કેટલીક બાબતો વિચારવાની રહે છે. - શ્રી આનંદઘનજી વિક્રમના સત્તરમા સૈકામાં થયા હતા એ હકીકત નિર્વિવાદ છે, કારણ કે તેઓ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીન હતા એમ ઉપાધ્યાયજીએ એમને વિશે લખેલી અષ્ટપદી ઉપરથી સ્પષ્ટ થાય છે, શ્રી ઉપાધ્યાય યશોવિજયજી વિક્રમના સત્તરમાં સૈકામાં થઈ ગયા. આથી કવિશ્રી આનંદઘનજીના જન્મકાળનો નિર્ણય કરવા સર્વ પ્રથમ આપણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના જન્મકાળ પર દૃષ્ટિ કરવી ઘટે. વર્તમાનકાલીન શ્રી યશોવિજયજી મહારાજ (શ્રી યશોદેવસૂરિ) લખે છે કે “ ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજનો જન્મ ગુજરાતના કલોલ ગામની નજીક કનોડુ ગામમાં વિક્રમના સત્તરમાં સૈકાના ઉત્તરાર્ધમાં થયો હતો.” “મુનિશ્રી કાન્તિવિજયજીકૃત સુજસવેલી ભાસ”માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવનની ઘણી વિગતો મળે છે.”
શ્રી મોતીચંદ કાપડિયા લખે છે કે “શ્રી યશોવિજયજી સંબંધી કેટલીક ૧ શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ સંપા=મુનિવર યશોવિજયજી. પૃ. ૨૧ ૨ “જંબૂસ્વામી રાસ” સંપાડો. રમણલાલ ચી. શાહું પૃ. ૧૩૯