________________
અનુભવ રસ
૩૦૦ અરિહંત. જે વ્યક્તિ એવા શત્રુઓને હણે છે અથવા હણવા પુરુષાર્થ કરે છે તે વાસ્તવમાં અરિહંત ભક્ત છે. તેના નામની જો માળા ફેરવવામાં આવે તો તે વ્યક્તિને સાર્થક છે. આ રીતે ચેતના કહે છે કે જુદા જુદા મતાધિકારીઓએ મને આ રીતે યંત્રવત્ પાઠ કરાવ્યા પણ કોઈએ તેનો હેતુ કે સાધ્ય સમજાવવા પ્રયત્ન ન કર્યો.
ચેતન સ્વયં રામ સ્વરૂપ છે. અરિહંત સ્વરૂપ છે પોતે જ ભગવાન છે પણ એ સ્વરૂપ પ્રાપ્તિની રીત કોઈએ બતાવી નહિ. દરેકે પોતાના સ્વાર્થ ખાતર મારી પાસે ઘર ઘરના કામ – ધંધા કરાવ્યા. કોઈએ ધન માટે તો કોઈએ શરીરના સ્વાસ્થ માટે. કોઈએ સંતાન – માટે તો કોઈએ શારીરિક સુખ માટે આ પ્રમાણે વિધવિધ જાતનાં નામોચ્ચારણ કર્યા ને કરાવ્યાં પણ કોઈએ પરમાર્થ માટે કાંઈ કર્યું નહીં જેથી હું મારા સ્વરૂપને તો ભૂલી પણ આત્મા સાથે મારે શું સગાઈ છે તેવા જ્ઞાનથી પણ વંચિત કરી નાખી.
આ પ્રકારના કાર્યમાં હું એકલી દોષિત નથી. પહેલાં તો ચેતન દોષિત છે. તે ઢળે છે ને મને પણ ઢાળે છે. તેથી જ તો ધર્મના બહાના નીચે આજે કેટલાય ગચ્છ, પંથ, વાડા વગેરે વધી ગયા છે. માટે જ શ્રી આનંદઘનજીએ ચૌદમાં પ્રભુનાં સ્તવનમાં કહ્યું છે, ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડિયા કાલિકાલ રાજે, - ધાર તરવારની....
ધર્મના નામે સ્વચ્છંદ સેવનારાઓ પોતાના મત વિસ્તાર માટે અનુયાયીઓની સંખ્યા વધારી, અહમ્રનું પોષણ કરે છે. તેઓ તત્ત્વની મોટી મોટી વાતો તો કરે છે પણ એ તત્ત્વને જીવનમાં ઉતારતા નથી.
, શ્રી આનંદઘનજી ચોથી કડીમાં કહે છે, कोईए मुंडी कोईए लोची, कोईए केश लपेटी, વરો નવી વોર્ડ સુતી છોડી, વેતન વિદી ન મેડી....માયડી. ઝા
ચેતના કહે છે કે હે માડી ! મારા જે હાલ – હવાલ થયા છે તેની હું શું વાત કરું? એ લોકોએ મારા પર કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, કોઈએ મારા પતિનું મસ્તક મુંડાવ્યું, તો વળી કોઈએ દાઢી, મૂછને મસ્તકના વાળનો લોચ કર્યો તો કોઈએ વળી વાળ બાંધી દીધા. જૈન સાધુઓ લોચ