________________
૨૯૭
અનુભવ રસ પણ સાથે ઘસડતો જાય છે. હું શુદ્ધ રહેવા પ્રયત્ન કરું છું તો પણ તે મને ધમકાવે છે. “નિજમતિ ફંકી” જેમ કોઈ માનવ સામી વ્યક્તિ ઉપર કામણ ટ્રમણ કરી અથવા તો મંત્ર જંત્ર કરી વશ કરે અને પોતાની ઈચ્છાનુસાર તેની પાસે કાર્ય કરાવે છે. એ રીતે ચેતન મારા ઉપર પોતાની મતિની સૂંક મારે છે અને મને તેના ઈશારે ચલાવે છે. દુર્યોધનના હાથમાં ગયેલી સતી દ્રૌપદીનાં જેમ ભરી સભામાં ચીર ખેંચાયા તેમ વૈભાવિકદશારૂપ દૂર્યોધનના હાથમાં મને નાખી દીધી છે.
અધ્યાત્મના ક્ષેત્રમાં જીવે નિષ્પક્ષ રહેવું જોઈએ. કોઈપણ મત કે પંથના વાડાઓ બહુધા એકપક્ષીય હોય છે. ચેતન આવા વાડામાં પૂરાઈ ગયો છે. કોઈ આત્માને વ્યાપક માને છે તો કોઈ એક જ આત્મા માને છે. કોઈ ઈશ્વરનો અંશ કહે છે તો કોઈ પંચભૂતથી ઉત્પન્ન થતો આત્મા માને છે.
ચેતના કહે છે કે મારા શુદ્ધ સ્વરૂપને અને ચેતનના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા પછી કોઈપણ વાડાબંધી રહે નહીં.
શ્રી ચિદાનંદજી મહારાજે આવા જ ભાવનું સરસ વર્ણન કર્યું છે. અવધ નિરપેક્ષ વિરલા કોઈ, દેખ્યા જગ સહુ કોઈ, સમરસ ભાવ ભલા ચિત્ત જા કે, થાય - ઉથાપ ન હોઈ.
અવિનાશી કે ઘરકી તાં, જાનેંગે નર સોઈ.. અવધૂ... આખા જગતમાં દૃષ્ટિ કરતાં નિષ્પક્ષ કોઈ વિરલ માણસ જ હોય છે. જેના ચિત્તમાં બધા જ ધર્મ તથા દર્શન માટે સમરસ ભાવ વર્તતો હોય તે કોઈનું થાપે કે ઉથાપે નહીં, તેવી વાતોમાં રસ પણ ન લે. જ્યાં અવિનાશી આત્મ સ્વરૂપની વાત હોય ત્યાં પ્રેમપૂર્વક જાય ને વાતો સાંભળે.
શ્રી ચિદાનંદજી કહે છે, નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શોક નવિ આણે, તે જગમેં જોગીસર પૂરા, નિત્ય ચઢતે ગુણઠાણે, ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાય૨ જેમ ગંભીરા,
અપ્રમત્ત ભારંડ પરે નિત્ય, સુરરિસન મુવિ ઘRT.... સંત પુરુષો નિંદા કે સ્તુતિમાં હર્ષ કે શોક કરતા નથી. આવા