________________
:
૨૯૧
અનુભવ રસ
૫૪-૪૭
'पिय बिन निशदिन झुरू खरीरी'
યોગી શ્રી આનંદઘનજી મહારાજે વિવિધ પાસાથી માનવમનને તથા ચેતનની શુદ્ધદશાને પામવાનો પ્રયત્ન કર્યો છે. પૌદ્ગલિક મન ચેતનને પુદ્ગલ તરફ ખેંચે છે ત્યારે બીજી બાજુ શુદ્ધચેતના ચેતનને પોતા ત૨ફ ખેંચે છે. અનાદિકાળથી આ લડાઈ તો ચાલતી આવી જ છે. પણ જ્યારે ચેતનનો પુરુષાર્થ નબળો પડે ત્યારે પૌદ્ગલિક કર્મોનો વિજય થાય છે અને ચેતનને બંદીવાન બનાવી પોતાને તાબે કરી લે છે અને ચેતન જો પોતાનું શૌર્ય જાગૃત કરે તો કર્મ જંજીર તોડી ચેતના પાસે જવા દોડી શકે છે, પણ તેમ થતું નથી.
કવિશ્રી આનંદઘનજીએ ‘ટોડી રાગ’માં આ પદમાં કહ્યું છે,
पिय बिन निशदिन झुरू खरीरी... पिय
लहुकी वडीकी कांनि मिटाइ, द्वार ते आंखे कब न हरीरी पिय ।। १ ।। શુદ્ધચેતના શ્રદ્ધાને કહે છે કે હૈ સખી! મારો ચેતનપતિ પાછો આવીશ એમ કહીને ચાલ્યો ગયો છે. ખબર નથી કે તે ક્યારે આવશે ? તેની રાહમાં ને રાહમાં હું રાતદિન ઝૂર્યાં કરું છું. મારી ઊંઘ વેરણ થઈ ગઈ છે. ખાવાનું પીવાનું બોલવાનું હરામ થઈ ગયું છે. શોકમાં ને શોકમાં નાના- મોટાની શરમ પણ છૂટી ગઈ છે. મારા એ પિયુની રાહ જોતી આંખો દ૨વાજા ૫૨ સ્થિર થઈ ગઈ છે. તે ત્યાંથી ખસતી જ નથી.
આર્યાવર્તની કુલીન સ્ત્રીઓ સંયુક્તકુટુંબમાં રહેતી હતી એ સમયે કુળવધૂઓ ઘુંઘટ કાઢતી હતી. તે પોતાના પતિનું મોઢું ઘૂંઘટમાંથી જોતી. વડીલોની હાજરીમાં તે ઘૂંઘટ ઊંચો કરી પતિ સાથે વાતો કરી શકતી ન હતી. આ પ્રથા આજે લુપ્ત પ્રાયઃ થઈ ગઈ છે. કવિ પોતાના સમયનું ચિત્ર ખડું કરી આ પ્રથાનો નિર્દેશ કરે છે. ચેતના કહે છે કે ચેતનના દર્શન કરવા માટે પોતે એટલી બધી ઘેલી થઈ ગઈ છે કે નાના – મોટાની શ૨મ પણ જાળવી શકતી નથી.
આ કડીમાં કવિએ વ્યવહારષ્ટિથી અધ્યાત્મભાવો સમજાવવા પ્રયત્ન