SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૨૭ર પદ-૪૪ “તેરી હૈં તેરી હું પતી દુરી” પ્રબળ પુરુષાર્થ કરી સાધનાના ઉન્નત શિખરને સર કરવા માટે અંતરપટ ખોલનાર તથા સૂતેલા ચેતનને ઢંઢોળી જગાડનાર એવા શ્રી આનંદઘનજી મહારાજે આ પદ, ચેતનાની ઉક્તિ તરીકે “ટોડી રાગમાં લખ્યું છે. ચેતના મૂંગી રહી શકતી નથી. પોતે કેવી છે તેની ખાતરી આપવા તે ચેતનની સાથે વાતો કરે છે. ચેતનની વાતથી ચેતનાને હજુ સંતોષ થયો નથી. તેના મનમાં અનેક શંકાઓ જાગે છે. તેથી ચેતનને પોતાના પર શ્રદ્ધા બેસી જાય તેવા પ્રયત્ન કરે છે. કવિશ્રી લખે છે, तेरी हुं तेरी हुं एती कहुरी" इन बात न में देगो तुं जाने, तो करवत काशी, ગાય દુરી....તેરી હું. રૂા ચેતનાના પ્રયત્નોથી ચેતન થોડો ઠેકાણે તો આવ્યો પણ હજુ માયાના રંગમાંથી તે મુક્ત થયો નથી. તે મનથી તો સમજે છે કે પોતે જે ' કાંઈ કરે છે તે ખોટું છે પણ ખોટો રસ્તો તેને ફાવી ગયો હોવાથી છોડવો મુશ્કેલ છે. તેથી ચેતને ચેતનાને આશ્વાસન આપ્યું હતું પણ ચેતનાને એમાં શાંતિ થતી નથી. વળી ચેતનાને લાગે છે કે ચેતનને મારામાં કોઈ શંકા થઈ લાગે છે. તેથી તે ચેતનને કહે છે કે હે સ્વામી! હું તમારી છું અને તમારી જ રહેવાની છું. મેં આજ સુધી અન્ય પુરુષ તરફ દૃષ્ટિ સુદ્ધાં કરી નથી. અરે મનમાં બીજા કોઈનો વિકલ્પ સુધ્ધાં આવ્યો નથી. પછી દેહની તો વાત જ ક્યાં રહી? તમારી રાહ જોઈ આશામાં ને આશામાં મેં દીર્ઘકાળ વ્યતીત કરી નાખ્યો. આપના માટે મેં પ્રાર્થના કરી. તપ, જપ, ક્રિયા. અનુષ્ઠાનો કર્યા. રાત-દિવસ આપનું રટણ કર્યું. મારા રોમરોમમાં આપના સિવાય બીજા કોઈનું નામ નથી. હું આપને જ ઝંખું છું. કહ્યું છે, રોમે રોમ (૨) હું તારી થાતી જાઉં છું, તારા પ્રેમમાં પાળ ભિં જાઉં છું...
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy