________________
અનુભવ રસ
૨૦૦
પોતાની શક્તિ પ્રગટાવવાની શક્તિવાળો જીવ સામર્થ્ય યોગી બને છે અને આનંદઘન સ્વરૂપ ચેતન ૫રમાત્મા સાથે આનંદ માણે છે. ચેતનને ૫૨માત્મ સ્વરૂપ પ્રગટ કરી પરમાત્માપદ પ્રાપ્ત કરવાની ભાવના થઈ છે. તેનાં ૫૨ ચિદાનંદજી મહારાજે છત્રીસીમાં કહ્યું છે કે રાગદ્વેષ કે નાસતેં, ૫૨માતમ પ૨કાસ,
રાગ-દ્વેષ કે જાગતે, ૫૨માતમ પદનાશ... ૨૩ લાખ બાતકી બાત યહ, તો હું દેય બતાય, જો ૫૨માતમ પદ ચહે, રાગ-દ્વેષ તજ ભાય... ૨૪ દેહ સહિત ૫૨માતમા, એહ અચરજકી બાત, રાગ-દ્વેષ કે ત્યાગ તેં, કર્મ શક્તિ જરી જાત... ૨૫ ભાઈ એક ૫૨માતમા, સો હૈ તુમ મેં યાંહિ, આપણી શક્તિ સંભાર કે, લિખાવત દે તાહિં... ૨૬
પરમાતમ પદ દૂર નથી. તારી પાસે જ છે. જેમ તલમાં તેલને પત્થરમાં આગ, દૂધમાં ઘી તે તારામાં પણ પરમાત્મશક્તિ છે. તેને પામવાનો પુરુષાર્થ તારે પોતે ક૨વાનો છે. રાગ અને દ્વેષનો નાશ થતાં ૫૨માત્મપદ પ્રાપ્ત થાય છે. સદેહ અવસ્થામાં પણ તે પરમપદની પ્રાપ્તિ શક્ય છે. એ જ આશ્ચર્યની વાત છે. ચેતનમાં બધી શક્તિ છે પણ કર્મોદયે તે કાંઈ કરી શકતો નથી છતાં તેને પોતાની શક્તિનો ખ્યાલ છે, વળી તેને સમજાવું છું કે આ કર્મ પરિણતિ મારી નથી. ચેતના મારી છે. એ રીતે બોલવું-વિચારવું તે ઈચ્છાયોગ છે.
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને લીધે સાંભળેલી વાતનું અર્થજ્ઞાન મેળવી લે, કાર્ય કરવાની ઈચ્છા પણ થાય પણ કરી શકે નહીં તેને ઈચ્છાયોગ કહે છે. ઈચ્છાયોગ આ જીવે ઘણીવાર કર્યો પણ કાર્ય કરવા સમર્થ થયો નહીં. યોગદૃષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે,
द्विधायं धर्म संन्यास, योग संन्यास संज्ञितः । क्षयोपशमिकाधर्मा, योगाः कायादि कर्म तु ॥
મોહનીય કર્મનાં ક્ષયોપક્ષમરૂપ ધર્મ સંન્યાસ યોગ છે. અપૂર્વકરણ ગુણસ્થાનથી ધર્મ સંન્યાસ સામર્થ્યયોગ થાય છે ને ચૌદમેં ગુણસ્થાનકે યોગરૂંધનરૂપ યોગ સંન્યાસ થાય છે. ધર્મ સંન્યાસયોગમાં સંન્યાસયોગ