SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ અનુભવ રસ કર્યા બરાબર થશે. રાગ-દ્વેષના ત્યાગ વિના મોક્ષપદ મળી શકે નહીં. કવિ આનંદઘનજીએ અન્યપદમાં પણ કહ્યું છે, राग ने रीसा दोय खवीसा, ओ तुम दुःखका दीसा। जब तुम उनको दूर करीसा, तब तुम शिवका इसा आप स्वभाव में रे, अवधू सदा मगन में रहेना।। રાગ અને દ્વેષ આ બંને ચાંડાલ છે. હે આત્મા! તને એ ચાંડાલો જ દુઃખી કરે છે. એને જ્યારે દૂર કરવામાં આવશે ત્યારે તું શિવ સ્વરૂપ બની જશે. આત્માની વીતરાગ અવસ્થાને રોકનાર તથા તેને આડે આવનાર બે મોટી દીવાલો છે. તે તોડ્યા વિના સંસાર છૂટશે નહીં. સમભાવની સ્થિતિમાં આ બંને શત્રુઓ મોળા પડી જાય છે. શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવની સ્થિતિ આવે જ્યારે સ્વભાવમાં સ્થિરતા આવે ત્યારે. શત્રુ-મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માનઅપમાને વર્તે તેજ સ્વભાવજો, જીવિત કે મરણે નહીં ન્યનાધિકતા, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સમભાવ જો... આત્મા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવને પામે પછી પૌદ્ગલિક પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષાદિ ભાવમાં મંદતા આવી જાય છે. પછી તેને સોનાનું સિંહાસન મળે કે કાંટાનો તાજ કોઈ પહેરાવે. આ બંને સ્થિતિ તેને માટે સમાન છે. જીવન પર પદાર્થ પ્રત્યે જ રાગાદિ ભાવ થાય છે. પણ સાચું સમજાય પછી પદાર્થ તેને પીડી શકતા નથી. જ્ઞાની પુરુષોની દૃષ્ટિમાં માટીનું ઢેકું કે સુવર્ણ કે હીરા-માણેક બધું સમાન છે. બંને પુદ્ગલધર્મી છે. જ્ઞાની પુરુષોની દષ્ટિનું દર્શન કરાવતા કવિ ચેતનનાં મુખે કહેવડાવે છે કે અનંતકાળથી યમરૂપી કાળ મને મારી રહ્યો છે. પણ હવે તો અમે તે કાળનો પણ નાશ કરશું, મારા મૃત્યુનું કારણ જે કાળ છે તેનો નાશ રાગ-દ્વેષનાં નાશથી થઈ જશે. અમે તો કાળના પણ કાળ બની જઈશું. કવિ ત્રીજી કડીમાં કહે છે, देह विनाशी हुं अविनाशी, अपनी गति पकरेंगे। નાની નાની દમ થીરવાણી, વો હૈ નિરવને... ..રૂ શરીર નાશધર્મી છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં શરીર પાંચ પ્રકારનાં કહ્યાં છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. આ પાંચેય શરીર
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy