________________
અનુભવ રસ
20 * તે આ ભવ પૂરતી સીમિત છે ત્યારે મનોમંથનથી મેળવેલા જ્ઞાનનું ગોરસ માનવીના ભવિષ્યને સુધારી સાચી દિશા બતાવી અંતરદશાને બદલાવે છે.
મોર્ડન યુગમાં ફેશન અને ફીટનેશ, કલર અને કવોલીટી, ડીઝાઇન અને ડ્રેસની રેસમાં, શ્વેતવસ્ત્ર ધારણ કરી જ્ઞાનરૂપ ગોળ ખાનાર અને ખવડાવનાર સાધ્વી જશુમતીના પુરુષાર્થ, હોંશ અને હિંમતને લાખ લાખ ધન્યવાદ છે. કુશળ તરવૈયો તોફાની સાગરમાં વધુ ખીલે, ક્રિકેટર કટોકટીના સમયે વધારે જામે, હોંશિયાર વ્યાપારી પ્રતિસ્પર્ધામાં વધુ તાકાત લગાવે એમ સાધ્વી જશુમતીએ સમયની કટોકટીમાં પીએચ. ડી. ની પદવી ગુરુકૃપાથી મેળવીને પ્રાણ-મોતી ગુરુકુળના નામને મહેંકાવ્યું છે.'
ઉત્સાહયુક્ત જેનું મન, ગુરુકૃપાનું મળ્યું મોંઘુ ધન થિસિસ છે જેમનો એવન, યાદગાર બની બે હજાર ચારની શન
સૂર્ય ઉદિત થવાનું કદી ભૂલે નહીં, કમળ ખીલવાનું કદી ભૂલે નહીં, ધરતી ભાર વહન કરવાનું કદી ભૂલે નહીં. નદી પરોપકાર કરવાનું કદી ભૂલે નહીં એમ હું સાધ્વી જશુમતીને આશીર્વાદનું અમૃત આપવાનું કેમ ભૂલું? જશુ, તારો પ્રબળ પુરુષાર્થે લખેલો થીસીસ સૌ કોઈને થાક ઉતારનારો બને, ભવભ્રમણ દૂર કરનારો બને, ત્રિવિધ તાપને ટાળનારો બને અને અનુપમ સુખ-શાંતિ પ્રાપ્ત કરાવનારો બને.
કલ્પતરુના લલિત વાતાવરણમાં અને પૂ. નમ્રમુનિના સાંનિધ્યમાં ત્રિવેણી પ્રસંગ ભવ્ય, નવ્ય અને રમ્ય ઉજવાય એજ વડીલ ગુણી પૂ. પ્રાણકુંવર બાઈ મ. ના અંતરના આશીર્વાદ.