SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ અનુભવ રસ કેટલીકવાર આત્માને શુભક્રિયા કરતો જોવામાં આવે છે પણ એ વ્યવહારષ્ટિ છે. શુભાશુભ ક્રિયા કરનાર હું નથી. વ્યવહારમાં કરણીનો કર્તા આત્મા દેખાય છે. શ્રી બનારસીદાસ “સમયસાર નાટક” માં કહે છે, ___ जगमें अनादिको अग्यानी कहै मरौ कर्म करता मैं याको किरिया को प्रति पाखी है।१। જગતમાં અનાદિથી અજ્ઞાની જીવ કહે છે કે મારા કર્મનો કર્તા હું છું અને હું જ ક્રિયા કરું છું પણ ग्यानभाव ग्यानी करै, अग्यानी अग्यान, દ્રવ્ય પુત્ર રે, વૈદ નિહરૈ પરવાના ૨ા. પદાર્થ પોતાના સ્વભાવનો કર્તા છે. જ્ઞાની આત્મા સ્વભાવ કર્તા છે. ત્યારે દ્રવ્યકર્મનો કર્તા પુદ્ગલ છે એ નિશ્ચયનયથી જાણવું. જ્ઞાયક સ્વભાવી આત્મા જ્ઞાયકભાવ સિવાય બીજું કાંઈ કરતો નથી. જે પોતાનામાં છે તે પ્રગટ કરવાનું છે. ચેતન પોતાના સ્વરૂપ દર્શન કરાવતા પ્રસ્તુત પદની ચોથી કડીમાં કહે છે, ना हम दरशन ना हम परसन, रस न गंध कछु नाहि, आनंदधन चेतनमय मुरति , सेवक जन बली जाही- ।। अवधू।।४।। ચેતન! પોતાની સ્થિતિની વાત કરતાં કહે છે કે હું જૈનદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યદર્શન કે વેદાંતદર્શન વગેરે દર્શન સ્વરૂપ નથી. એ દર્શન મારા વાસ્તવિક સ્વરૂપ જ્ઞાનના અભાવે ઊભા થયેલા છે. જે સત્ પુરુષાર્થ કરી, સત સ્વરૂપને પામે છે ત્યારે તેના સ્વરૂપાનુભવમાં સર્વ દર્શનનો લય પામી જાય છે માટે હું દર્શનરૂપ નથી વળી હું મારા સમભાવી સ્વભાવમાં સ્થિત રહેતા આઠ સ્પર્શમાંથી હું એક પણ સ્પર્શયુક્ત નથી. તો સુરભિ- દુરભિ ગંધયુક્ત પણ નથી. પાંચ રસ જેવા કે ખાટો, તીખો, મીઠો, કડવો, કસાયેલો તેમાંથી હું કાંઈ નથી. કાળો, રાતો, લીલો, પીળો કે ધોળો એ પાંચ વર્ણમાંથી હું કોઈ વર્ણનો નથી. એ ગુણો તો પુદ્ગલના છે અને તે પુદ્ગલના સહભાવી ધર્મ છે. ત્યારે હું તો આનંદરાશીરૂપ ચૈતન્યમય મૂર્તિ છું. આત્માની શુદ્ધદશા પ્રગટતા અનંતગુણોનું પ્રાકટય
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy