________________
૧૭૯
અનુભવ રસ દિશામાં ફેલાય છે ને કપાટાકારે બને છે. જે દંડાકારે પ્રદેશો હતા તે કપાટાકારે બની લોકની દિશાઓમાં વિસ્તરે છે. પછી મંથાન અને ચોથે સમયે આત્માના પ્રદેશો ચૌદ રાજલોકમાં વ્યાપી જાય છે. કર્મસંયોગે જીવને આ દશા પ્રાપ્ત કરવી પડે છે. જે પ્રદેશો જે રીતે વિસ્તાર પામ્યા એ જ ક્રમથી સંકોચાતા છેવટે શરીર પ્રમાણે થઈ જાય છે. વિસ્તાર તથા સંકોચમાં સમય મર્યાદા સરખી જ છે પણ વાસ્તવમાં હું લાંબો-ટૂંકો નથી તો ભાઈ કે બહેન પણ નથી. શ્રી યોગેન્દુદેવ કહે છે,
जण्णी जण्णु वि कंत धरु पतु वि मित्तु वि दव्वु १
માતા, પિતા, સ્ત્રી, પુત્ર કે મિત્ર, ભાઈ કે બહેન વગેરે સંબંધો કર્મયોગે જોડાય છે. પણ તે બધા ક્ષણિક છે. અનિત્ય છે. શરીર સાથે સંબંધ રાખનારા છે. નામકર્મના ઉદયે શરીર મળે છે અને મોહનીય કર્મના ઉદયે એક-બીજા જીવો કોઈને કોઈ સંબંધથી જોડાય છે. પણ હું કર્મરૂપ નથી. કર્મ પૌગલિક છે ત્યારે હું તો ચેતનસ્વરૂપ છું. કર્મયોગે મારે અનેક ગતિયોનિઓમાં ફરવું પડે છે અને દરેક સાથે વિધવિધ સંબંધ બંધાયો. જેમકે કહ્યું છે,
न सा जाइ न सा जोणी, न तं कुलं न तं ठाणं ન ગાયા ન મુવા પલ્થ, સર્વે નવા વંતસો. સાવધૂ ૨ાા
અનાદિ અનંતસંસારનું પરિભ્રમણ કરતા કોઈ જાતિ, કોઈ યોનિ, કુળ કે સ્થાન એવું નથી કે જ્યાં હું ગયો ન હોઉં, જ્યાં ગયો ત્યાં મારો જન્મ થયો અને મૃત્યુ પણ થયું, વળી જ્યાં ગયો ત્યાં કોઈનો દીકરો, માબહેન કે ભાઈ રૂપે પણ થયો છતાં હું તો અમર સ્વભાવી છું. મારો જન્મ નથી તો મૃત્યુ પણ નથી. આ સંબંધો કર્મજન્ય હોવાથી લોકો મને એ સંબંધે પોકારે છે પણ હું એવો નથી. હવે કવિશ્રી ત્રીજી કડીમાં કહે છે,
ना हम मनसा ना हम शबदा,ना हम तनकी धरणी, નામ મેરા મેવધર નાદિ, નામ રતા રહી. સાવધૂતા રૂપા
સંસારમાં કર્માધીન જીવોને કર્મોદયે વિધવિધ સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે. દરેક ગતિ અને જાતિમાં મનુષ્ય પ્રાણી શ્રેષ્ઠ ગણાય છે કારણકે તેને ભાવો વ્યક્ત કરવાનું સાધન, મન મળ્યું છે. સંજ્ઞી પંચેન્દ્રિયને મન હોય છે અને મનના આધારે વિચાર કરે છે અને વિચારને વ્યક્ત