________________
૧૭૫
અનુભવ ૨સ
૫-૨૯
“અવધૂ નામ મારા પાર” શ્રી આનંદઘનજી મહારાજે પોતાનાં કેટલાંક પદોમાં નવી નવી શૈલી વડે વિષયનું નિરૂપણ કર્યું છે. આ પદમાં કવિએ ચેતન એવો આત્મા સ્વમુખે પોતાનો લાક્ષણિક પરિચય આપતો હોય એવી રજૂઆત કરી છે. “આશાવરી રાગ'માં કવિ આ પદમાં કહે છે કેઃ
અવધૂ નામ ઇમાર રાધે, સો પર મદાર વાવે... અવધૂા न हम पुरुषा ना हम नारी, वरन न भांति हमारी । નાતિન પાંતિ સાધન સાધવ,દમ તપુનામારી... વધૂ...રૂા.
કવિ કહે છે કે ચેતન કોણ છે? તેનું સ્વરૂપ શું છે? આ પ્રશ્નનો ઉત્તર ચેતન સ્વયં સ્વમુખે પોતાનો પરિચય આપે તો તેમાં યથાર્થતા આવે. ચેતન કહે છે કે હે અવધૂ! અમારું જે વાસ્તવિક નામ આપે છે તે ખરેખર ઉત્કૃષ્ટ મહારસ ચાખે છે. ભૌતિક પદાર્થોના રસ કરતાં આત્માનુભૂતિનો રસ અનંત ગણો અધિક ઉત્તમ હોય છે. તેથી ચેતનના વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે. ચેતન કહે છે કે હે બુદ્ધજનો! તમે મારો પરિચય મારા બાહ્યરૂપથી ન કરો. હું અનાદિકાળથી જેવો છું તેવો જ અનંતકાળ સુધી રહેવાનો છું. મારામાં કદી કોઈપણ જાતનું પરિવર્તન થયું નથી અને થવાનું નથી. કારણ કે હું શાશ્વત સ્વરૂપી છું પણ અજ્ઞાનભાવે હું અનંત અનંત કાળ સુધી નિગોદમાં રહ્યો અને અકામ નિર્જરાના બળે હું ક્રમશઃ આગળ વધતાં સ્થાવરમાંથી ત્રસમાં બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય પણ થયો અને છેવટે સંજ્ઞી પંચેન્દ્રિય – તેમાં પણ મનુષ્યગતિમાં માનવ થયો. પરંતુ જે જે સ્થાને હું ગયો ત્યાં ત્યાં હું જેવો છું તેવો જ રહ્યો છું. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે, - “જેવો સિદ્ધ ક્ષેત્રે વસે, તેવો આ તનમાંય... ૧
આ રીતે મારા મૂળ સ્વરૂપમાં જરા માત્ર પણ ફરક પડ્યો નથી. અનંત સિદ્ધ સમાન મારું સ્વરૂપ છે. કર્મ સંયોગે મારું બાહ્યરૂપ બદલતું