SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ અનુભવ રસ પદ-૨૮ “કા ગોરની જ્યાં વકીને?" સાધનાના શિખરે પહોંચેલા એવા ધ્યાનયોગી કવિશ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં આત્માને ઢંઢોળી જાગૃત કરવાની વાત કરી છે. અજ્ઞાની જીવ કરોળિયા જેવી દશા કેમ પામે છે? સંસારમાં ભટકવાનું કારણ શું છે? તેનું રહસ્ય આ પદમાં સ્પષ્ટ કર્યું છે. અંશાંતિનું કારણ બહાર નથી પણ માનવના મનમાં છે. અંતર્મુખ થતા આ કારણનો નાશ કરી શકાય છે. કવિ આ પદનો પ્રારંભ કરતાં કહે છે, आशा ओरनकी क्या कीजे ? ग्यान सुधारस पीज... आशा भटके द्वार द्वार लोकनके, कूकर आशाधारी, બાતમ અનુભવ રસ રસીયા, ઉતરે નવવઘુ ઘુમારી..મારા રૂા આ પદની સાથે કવિના જીવનનો અનુભવનો ઈતિહાસ જોડાયેલો છે તેના જીવનની ઘટનાને આધારે કવિના મુખકમલમાંથી સ્વાભાવિક શબ્દો સરી પડે છે. દરેક પ્રાણીના જીવનમાં સારા-નરસા પ્રસંગો બને જ છે પરંતુ કોઈ પ્રસંગ હૃદયને સ્પર્શી જાય છે ત્યારે જે શબ્દો સરી પડે છે તે અનુભવયુક્ત વાણી છે. અહીં સાશા ગોરની વય વહીને' આ પંકિત ઘણું ઘણું કહી જાય છે. માનવ મધુ-બિન્દુની જેમ વિવિધ પ્રકારની આશાનાં તારે લટકતો રહે છે. તે મધનો મોહ મૂકી શકતો નથી. છેવટે રાતદિવસરૂપી ઉંદરો આયુષ્યની વડવાઈ કાપી નાખે છે ને માનવ સંસારરૂપી કૂવામાં ધકેલાઈ જાય છે. આશના યોગે માણસ શિયાળામાં સખત ઠંડી અને ઉનાળામાં સખત ગરમી સહન કરે છે. હઠયોગ સાધકો મરણાંત કષ્ટો વેઠે છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે, એક આશાને કારણે “ઘાંચીના બળદની જેમ આશાના વશમાં પડેલો ચેતન જ્યા ત્યાં અન્યોને કરગરતો ફરે છે.” આ પ્રકારની આશા આત્માનંદમાં કેવી રીતે બાધક બને છે તે જણાવતાં શ્રી યશોવિજયજી મહારાજ લખે છે,
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy