SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ અનુભવ રસ ૫-૨૬ અવધૂ વર્ષ નાનું ગુનદીના” અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજ સ્વાનુભૂતિયોગ્ય શબ્દો વડે સાધક આત્માની યોગ્યતાનું દર્શન કરાવતાં કહે છે કે વ્યક્તિ ગમે તે સ્થાને જવા ઈચ્છે પણ ત્યાં જવા માટે તેને યોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે. સાધનાનું પ્રથમ પગથિયું છે નમ્રતા. વિનમ્ર આત્મા, આધ્યાત્મિક સાધના માટે યોગ્ય ગણાય છે. ઘડામાં પાણી ભરવું છે. પણ જો ઘડામાં કાંકરા ભર્યા હોય તો તે ઘડો પાણીથી ભરાશે નહીં પણ ખાલી હોય તો સહેલાઈથી ભરી શકાય છે. તેવી રીતે સાધકમાં અભિમાન ભર્યું હશે તો હૃદયરૂપ ઘટમાં જ્ઞાનરૂપ પાણી ભરી શકાય નહીં, પણ હૃદયરૂપ ઘટ ખાલી હશે તો જ્ઞાની પુરુષોની વાણીરૂપ પાણી ભરી શકાશે. કવિશ્રી આ પદનો પ્રારંભ કરતા કહે છે, વધૂ વયા મા મુળદીના, કે ગુન નન પ્રવીણ .... વધુ गाय न जानु, बजाय न जानु, न जानुं सुरभेवा; રીફ ન નાનું, રીજ્ઞય ન નાનું, ન નાનું પસેવા....જાગવધૂતારા કવિ પ્રભુને કહે છે કે હે પ્રભુ! હું તારી પાસે શું માગું? કારણ કે હું તો ગુણહીન છું. મને સમજાતું નથી હું તારી પાસે કેવી રીતે આવું અને શું માંગુ? મને જોઈએ તો છે તારા જેવું પરમાત્મપદ, એટલા માટે હું તારી પાસે આવ્યો છું. કારણકે તું તો ગુણનો ભંડાર છે. તારા ગુણો ગણવાની મારી તો કોઈ તાકાત નથી, પણ અનેક સંતો અને ઋષિઓ પાસેથી સાંભળ્યું છે કે તું અનંત ગુણનિધાન છે. શ્રી માનતુંગાચાર્યજી કહે છે, वकतुं गुणान गुणसमुद्र शशांङ्क कान्तान।। कस्ते क्षमः सुर गुरु प्रतिमोऽपि बुध्धया।।४।। છતાં પણ હું આપની ભક્તિને વશ બનીને અલ્પમતિ હોવા છતાં ગુણો ગાવા બેઠો છું કારણકે આપના એ પરમપદને પામવા આપની પાસે આવ્યો છું. આપના ગુણકીર્તન કરતાં મને તો આવડતા નથી. આપના
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy