________________
૧૪૧
અનુભવ રસ
સુમતિ કહે છે કે હે ચેતનરામ ! જન્મમરણ દેહના થાય છે. સુખદુઃખ દેહ ભોગવે છે કારણકે તે કર્મજન્ય છે. ત્યારે તારો સ્વભાવ તો જોવા જાણવાનો છે. ચેતનની હવે દૃષ્ટિ બદલાણી છે. હવે દેહદૃષ્ટિ રહી નથી. પછી જન્મમરણના ફેરા તો ક્યાંથી સંભવે ? કવિએ ચેતનને ફકીર કહ્યો છે કા૨ણ કે જેણે ફીકરની ફાકી કરી દીધી છે તે ફકીર છે. ચેતને જન્મમરણની ફીકર ટાળી નાખી છે. એટલે સુમતિ કહે છે કે મારા સંયોગે તમે મસ્ત ફકીર બની ગયા છો. હવે મમતાનું ઘર ઉખેડી નાંખ. મમતાનાં પાયા ૫૨ જન્મમરણની દીવાલો ચણાયેલી છે. પાયો હલી જતાં દીવાલો ઘસી પડે છે અને દીવાલો તૂટતાં પૂરો સંસાર ખતમ થઈ જાય છે. જેથી અનંત સિદ્ધો સાથે શાશ્વત સ્થાન પામી શકાય છે. અનુભવની યથાર્થતાનું વર્ણન કવિ ત્રીજી કડીમાં કરે છે.
अनुभवरसमें रोग न सोगा, लोकवाद सब मटे ।
હેવન અશ્વત બનાવિ વાષિત, શિવશંવર ગ મેટા... ।। અવધૂ...।। રૂ।। અનુભવની કળી ખીલતા ચેતનની અનંતકાળની મહેનત સફળ થાય છે. દરેક જીવો ૫૨મપદની પ્રાપ્તિ અર્થે ધાર્મિક ક્રિયા – અનુષ્ઠાનો કરે છે. કોઈ ઘર છોડી જંગલ વાસ કરે છે, તો વળી કોઈ સાધુ બને છે. કોઈ તપ કરે છે, તો કોઈ જપ કરે છે પણ દરેકનું લક્ષ્ય આજ સુધી જે નથી અનુભવ્યું તે અનુભવવાનું કારણ કે અનુભવ થયા પછી રોગશોક સ્પર્શી શકતા નથી તો પછી લોકવાદની તો વાત જ ક્યાં રહી ? પછી સ્કૂલ કર્મો તરફ દૃષ્ટિ રહેતી જ નથી. તેથી મીરાં પણ કહે છે કે “મેરે તો ગિરિધર ગોપાળ, દૂસરા ન કોઈ” મીરાંએ' ગિરિધરને શોધવા મા-બાપ, પતિ, રાજ કે પરિવાર બધું જ છોડયું. સમાજનાં બંધનો પણ છોડી દીધાં. મીરાંએ કહ્યું છે કે “દુનિયા વોલતી રહેળી, મૈં મેરા હાર્ય રતી રી. અનુભવરસના રસિયા સર્વભયોથી મુક્ત બની જાય છે પછી લોકવાદને કોઈ સ્થાન રહેતું જ નથી. આત્મભાવોની સ્થિરતા મેરુસમાન આવી જાય છે. એવી અચલ અવસ્થાને સાધક ધારણ કરે છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે, “ અનુભવજ્ઞાનીને અંતરથી રોગશોકનો અનુભવ કરતો નથી. તેમજ લોકો ગમે તે બોલે તે તરફ લક્ષ આપતો નથી લોકોપવાદથી ભયભીત થતો નથી. અનુભવજ્ઞાની દિવાની દુનિયાના બોલની ઉપેક્ષા