SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ અનુભવ રસ પદ-૨૩. “અવધૂ અનુભવ તિવા ના” અનુભવનું એક બિન્દુ આત્મભાવનો સિધુ બની જાય છે. અનુભવ પછીનો આનંદ, જાણે સરકારી નાણાંની મહોર. આવી આત્માનુભવની અનુભૂતિ ઇન્દ્રિયજ્ઞાનથી પર છે. પર ભાવોથી ભિન્ન એવા અનુભવને કવિએ આ પદમાં વાચા આપી છે. જેમ ત્રણ દિવસના ભૂખ્યાને, સૂકા રોટલાનો ટુકડો મળે અને જેવો આનંદ થાય તેથી વિશેષ આનંદ આત્મજ્ઞાનીને આત્માનુભવ થતા થાય છે. માટે જ શ્રી આનંદઘનજી મહારાજ “આશાવરી રાગમાં આ ત્રેવીસમા પદમાં કહે છે, अवधू अनुभव कालिका जागी, मति मेरी आतम शु मीलन लागी...अवधू।। जाये न कबहु और ढिग नेरो, तोरी वनिता वेरी; માયા ઘેલી કુંવર દાથે, વિર ડેઢ વન ઘેરી... અવધૂ. ૧ કવિએ અહીં અનુભવજ્ઞાનને પ્રથમ સ્થાન આપ્યું છે. કોઈપણ પદાર્થનું પ્રથમ જ્ઞાન થયા પછી જ તેનું શ્રદ્ધાન થાય છે. માટે જ સર્વજ્ઞા પરમાત્માએ કહ્યું છે કે “પઢમં ના તમો વયા'' પહેલાં જ્ઞાનને મહત્ત્વ આપતાં બીજે સ્થાન પર કહેવામાં આવ્યું છે કે “નો નીવેવિ વિયાણ' જે જીવને જાણે છે તે અજીવને પણ જાણે છે. માટે પ્રથમ આત્મજ્ઞાનને સ્થાન આપવામાં આવ્યું છે. જડભાવે જડનું જ્ઞાન મેળવ્યું પણ હવે આત્મભાવે આત્મજ્ઞાન મેળવવાનું કવિ કહે છે. આ પદમાં ચૈતન્ય, સ્વઘરે પધારે છે. તેથી સુમતિ તથા ચૈતન્યનું મિલન થયું. હવે સુમતિ ચેતનને કહે છે કે, હે શુદ્ધ ચેતનજી! તમે જયારે શાશ્વતભાવમાં અનાદિ અનંતભાવોમાં રમો છો ત્યારે અનુભવજ્ઞાનરૂપ કળી જે આજ સુધી બીડાયેલી હતી તે ખીલી જાય છે. આત્મસ્વરૂપનું ધ્યાન કરતાં અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવની કળીની સુવાસ ચોમેર ફેલાઈ જાય છે. સ્વ તરફ દૃષ્ટિ થતાં હવે સમજાય છે કે હું પોતે તો અનાદિ અનંત છું.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy