________________
૧૩૭
आनंदघन प्रभु वचनकी रे, परिणति धरी रुचिवन्त; શાશ્વત ભાવ વિવારતે થારે, રહેતો અના િવનંત..વિદ્યારી....ફા
કવિ આનંદઘન, પરમાત્માનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે હે જીવ!તું પણ પરમાત્મા સ્વરૂપ છો. આનંદરૂપ રાશી છો. અખંડ ચૈતન્યમય સ્વરૂપ તું તું આત્મા, તું તારા સ્વરૂપને પ્રગટ કરવા સ્વપુરુષાર્થ કર. જિનેશ્વરદેવ કે જેમણે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરી આત્મસ્વરૂપનો ઉપદેશ આપ્યો છે. જેથી તેનાં વચનોની મહત્તા, ગંભીરતા તથા વિશાળતા આપણી દૃષ્ટિમાં આવી શકે. કવિ કહે છે કે પ્રભુનાં વચનોને વિચારની સરાણે ચડાવ પછી જ તેના પર આસ્થા રાખ. સમજણ પૂર્વકની શ્રદ્ધા હોય તથા તત્ત્વ તરફ રુચિ થતાં પરિણતિ તે તરફ વહે છે. આમ આત્માના શુદ્ધ અખંડ નિત્ય અને નિર્મળ અનાદિ– અનંતભાવમાં રમતા શાશ્વત સિદ્ધિ મેળવી શકાય છે.
- કવિ કહે છે કે સર્વજ્ઞના વચનમાં શ્રદ્ધા થવાથી પર તરફ વહેતી પરિણતિ સ્વ તરફ વહેવા માંડે છે અને ચેતન તથા જડના શાશ્વતભાવોનું રહસ્યોદ્ઘાટન થશે.
કવિ કહે છે કે જો તમે સૃષ્ટિને પરમેશ્વરકૃત માનશો તો જડમાંથી ચૈતન્યની ઉત્પત્તિ અને ચેતનમાંથી જડની ઉત્પત્તિ માનવી જ પડશે પણ તે કદી શક્ય જ નથી. વળી પૃથ્વી શા માટે બનાવી? તેને બનાવવા વસ્તુઓ કોણ લાવ્યું? તો વળી એ વસ્તુઓનો બનાવનાર કોણ છે? જેણે વસ્તુઓ બનાવી તેને બનાવનાર કોણ છે? વગેરે અનેક પ્રશ્નોની હારમાળા રચાઈ જશે. ત્યારે જૈનદર્શન કહે છે કે એ બધા અનાદિ અનંત ભાવ છે. પર્યાયાપેક્ષા પદાર્થમાં ઉત્પાદ-વ્યય છે. દ્રવ્ય અપેક્ષા અનાદિ અનંત ભાવ છે પણ નય પ્રમાણ વડે દ્રવ્ય-પર્યાય જાણવાથી દરેક પદાર્થના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે.
જેમ બીજ અને ફળ અનાદિ છે. તેમ સિદ્ધ અને સંસારીભાવ પણ અનાદિ છે. દ્રવ્ય – પર્યાયના તરંગોમાં ખેલી રહ્યું છે પણ જીવની પર્યાય દૈષ્ટિ દૂર થતાં અને દ્રવ્ય – દૈષ્ટિ ખુલતાં જૈનશાસ્ત્રના અગમ્ય ઊંડાણને માપી શકાય છે. તથા આનંદઘનસ્વરૂપ પરમાત્મા પ્રભુનો શાશ્વત આનંદભાવ માણી શકાય છે આવો ઉત્તમભાવ આ પદમાં બતાવવામાં