________________
અનુભવ રસ
૧૦૬
-
શુદ્ધચેતના તથા શુદ્ધચેતનનું મિલન થતા, સમ્યક્ત્વરૂપ દીકરાનો જન્મ થાય છે. પણ તે હજી નાનો છે તેથી કવિ કહે છે કે તે બાળો – ભોળો છે. તેનામાં બાળકબુદ્ધિ છે. તે નાનો હોવાને કારણે કોઈ તેને ચૂપ બેસાડી દે છે અથવા કોઈ ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપે ત્યારે તે શાંત બેસી જાય છે. આ નાનકડા દીકરાની ભાષા ઘણી મીઠી છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં ચેતનની વાણી, વર્તન તથા વિચાર બધું બદલાઈ જાય છે. સમ્યક્ત્વની કાલી – કાલી, મીઠી – મીઠી બોલીથી જીવન નંદનવન સમું બની જાય છે. બાળકને જન્મ આપ્યા પછી સ્ત્રીના જીવનમાં પરિવર્તન આવી જાય છે. તે સ્ત્રી બાળકમય બની જાય છે. તેવી રીતે સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં ચેતનાની દશા બદલાઈ જાય છે. દશા બદલાઈ જતાં દિશા બદલાઈ જાય છે.
અનાદિના મિથ્યાત્વીજીવને સર્વ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વના મૂળ ઉપશમી જાય છે તેથી મિથ્યાત્વ પાછો પરચો બતાવે છે. પરંતુ પરિણિતમાં એટલો બધો ફરક પડી જાય છે કે આજ સુધી કુદેવ ને દેવ, કુગુરુને ગુરુ અને ધર્મને ધર્મ માનતો હતો. તેને બદલે સુદેવ, સગુરુ ને સુધર્મ પ્રતિ તે શ્રદ્ધા રાખતો થઈ જાય છે તથા શ્રદ્ધા દેઢ બનતી જાય છે. સત્ય સમજણ આવતાં, આ બાળક તો આત્મધર્મ અને કેવળીપ્રણીત ધર્મને અભેદ બતાવે છે તથા શુદ્ધ ધર્મનું જ્ઞાન કરાવે છે તથા સાધ્ય દર્શન કરાવે છે. આવો ઉત્તમ આ બાળક છે. તેને તું શું જોઈને મારે છે ? શા માટે તેનો નાશ કરવા યત્ન કરે છે ? તારું આ કાર્ય તદ્ન ગેરવ્યાજબી છે. આ સમ્યક્ત્વરૂપ બેટડો તો હવે ધીરે ધીરે મોટો થવા લાગ્યો છે. તેની પ્રગતિ તો નજરે જોઈ શકાય તેવી છે. તે કેવો છે તે બતાવતા કવિ બીજા કડીમાં કહે છે,
ले लकुटिया चालण लाग्यो अब कांई फूटा छे नेण.... । તુ તો મરળ સિરાને સુતો, રોટી વેન્સી જોબ ?...।।છો
ને। ૨।। લેણદાર મિથ્યાત્વ ! તું જરા આંખ તો ખોલ. તું આ દેણદારનો દીકરો તો પ્રગતિ કરી રહ્યો છે. તે સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે તથા તત્ત્વરુચિ અને આગમ શ્રદ્ધાના બે પગ વડે ઉપશમસમ્યક્ત્વની લાકડી લઈ ચાલી રહ્યો છે અર્થાત્ જ્ઞાનરુચિ તથા વીતરાગ વચન પરની શ્રદ્ધારૂપ