________________
૮૩
અનુભવ રસ રસ, સાકરનોરસ તેનાથી અધિક મીઠો રસ શુક્લ લશ્યાનો રસ છે.
આ રીતે છએ વેશ્યાની ગંધ પણ ભિન્ન-ભિન્ન હોય છે. તેમાં પ્રથમની ત્રણ અશુભલેશ્યાની ગંધ, મરેલી ગાયનું કલેવર, મરેલા કૂતરાનું કલેવર, સર્પના મડાની ગંધ તેથી અધિક દુર્ગધ આ વેશ્યાની છે.
શુભલેશ્યાની ગંધઃ- જેમ કપૂર, કેવડો વગેરે સુગંધી પદાર્થ વાટતા જેવી સુગંધ નીકળે તેના કરતાં અધિક સુગંધ શુભલેશ્યાની છે.
હવે છ એ વેશ્યાનો સ્પર્શ કહે છે.
કરવતની ધાર, ગાયની જીભ, વાંસનું પાન તેના કરતાં અધિક ખરાબ અપ્રશસ્ત લેશ્યાનો કકર્શ સ્પર્શ જાણવો.
માખણ, સરસવનાં ફૂલ, મખમલના સ્પર્શ કરતાં અધિક સુંવાળો સ્પર્શ ત્રણ પ્રશસ્ત લશ્યાનો છે.
આ પ્રમાણે જ ચોપાટની સોગઠી જુદા જુદા રંગની હોય છે. તેમ જીવ પણ વિધ-વિધભાવો યુક્ત હોવાને કારણે સંસારમાં ફર્યા કરે છે. આ રીતે છ એ વેશ્યાના વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ જુદા-જુદા છે. કારણ કે જગતમાં સાત પ્રકારની કાર્મણવર્ગણા છે. તે પૌદ્ગલિક છે. એક યુગલ પરમાણુમાં તેના સ્વાભાવિક ગુણધર્મો હોય છે.
શ્રી ઉમાસ્વાતિજી લખે છે, “સ્પર્શરસધ વર્ણવન્તઃ પુલા:"
દરેક પુદ્ગલ પરમાણુમાં એક વર્ણ, એકરસ, એક ગંધ અને એક સ્પર્શ હોય છે. તેથી પરમાણુના આધારે વેશ્યાના વર્ણાદિ પરિવર્તન પામે છે. જીવના પરિણામને આધારે પરમાણું પુદ્ગલો ગ્રહણ થાય છે. માટે જ કવિ આનંદઘનજીએ પ્રસ્તુત પદમાં રંગ-રંગની સોગઠી બતાવે છે. સંસારની ચોપાટમાં સંસારી જીવો સોગઠી થઈ ઘૂમ્યા કરે છે. કૃષ્ણ અને નીલ લેશ્યાની જોડી તૂટતી નથી. પણ જો તૂટે તો સોગઠી ઘરમાં આવી જાય, ઘરમાં આવેલી સોગઠી મરે નહીં. તેવી રીતે સમ્યત્ત્વ પામ્યા પછી જીવ આત્મભાવમાં આવતા તેને ઘણું કરીને પડવાનું રહેતું નથી. પરંતુ કાળીનીલી એમ કૃષ્ણ-નીલ લેશ્યાવાળા દુર્ગતિમાં ભમ્યા કરે છે- લાલ-પીળીની જોડી તૂટે તો પણ જીવ ઘરમાં આવે નહીં, પર ઘરમાં ફરતાં અનંતકાળ વીતે. હવે સોગઠી ગાંડી કરે