SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ અનુભવ રસ આ રીતે યોગસાધકો માટે અનેક મુદ્રાઓ બતાવવામાં આવી છે. મુદ્રાઓથી સાધક અનેક વિઘ્નોથી નિર્ભય બની જાય છે. મુદ્રાની માફક આસનો પણ અતિ ઉપયોગી છે. પર્યંકાસન:- શ્રી હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્રમાં લખે છે કેઃ स्याज्जंधयोरधोभागे, पादोपरि कृते सति । पर्यंको नाभि गोत्तान, दक्षिणोत्तर पाणिकः ।। બેઉ જંઘાના નીચલા ભાગો પગના ઉપર મૂકયા પછી જમણો અને ડાબો બંને હાથ નાભિ પાસે ઊંચા ઉત્તર-દક્ષિણ રાખવાથી પર્યંકાસન થાય છે. પતંજલ કહે છે કે જાનુ અને હાથને પ્રસારીને સૂવું તેને પર્યંકાસન કહે છે. આ ઉપરાંત વીરાસન, ભદ્રાસન, અબ્બાસન વગેરે ચોર્યાસી પ્રકારનાં આસનો છે. જે મનનો જય કરે છે તે પ્રાણનો જય કરે છે. બંને ઉ૫૨ જય મેળવનાર ઇન્દ્રિય જયી બની જાય છે. સહજ સમાધિના અર્થમાં રેચક એટલે હેય વસ્તુનો ત્યાગ કરવો. પૂરક એટલે ઉપાદેય વસ્તુને આદરવી અને કુંભક એટલે મધ્યસ્થ ભાવમાં રહેવું. અથવા પુરક એટલે સદ્ગુણોને ગ્રહણ કરું છું, કુંભક એટલે સદ્ગુણોને ધા૨ણ કરું છું અને રેચક એટલે દુર્ગણોનો ત્યાગ કરું છું. આ પ્રકારે સાધક મૂળગુણ, ઉત્તરગુણમાં તન્મય બની ઇન્દ્રિય તથા મનોજપી બની મોક્ષપદ ધારી બને છે. કવિ આ પદની ચોથી કડીમાં કહે છે, थिरता जोग जुगति अनुकारी, आपोआप विमासी । બાતમ પરમાતમ અનુસારી, સીટ્ટે ાન સમાપ્તી... ।।માહરો... ।। ૪૫ જોગ જુગતિ એટલે યોગની યુક્તિ. જે સાધક યોગમાર્ગે પગ ધરે છે તેણે યોગનો અભ્યાસ કરી યોગમાર્ગે ચાલવાનું હોય છે. અભ્યાસનાં અભાવે સાધક ભટકી જાય છે. નાની-નાની સિધ્ધિઓ મેળવી ચમત્કારની દુનિયાનો માનવ બની જાય છે. યોગમાર્ગના પગથિયાં ને ક્રમથી ચડતાં અને એક-એક પગથિયે સ્થિર થતાં યોગી આગળ વધે છે. કવિએ યોગયુક્તિની સાથે સ્થિરતા શબ્દ મૂક્યો છે. સ્થિરતા વિના ધીરતા નહીં અને ધીરતા વિના વીરતા નહીં. પોતાના દરેક કાર્ય સ્થિરતાપૂર્વક વિચારવા
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy