SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ અનુભવ રસ સોળ સ્વરની સ્થાપના કરવી. આઠ પાંખડીવાળા કમળનું ધ્યાન હૃદયમાં કરી તેની પાંખડીમાં ક્રમશઃ આઠ કર્મોની કલ્પના કરવી. અર્હ મંત્રથી ધૂમ્રસેરો ઉપર ઊઠી અગ્નિ ઉ૫૨ ઊઠે છે તે જાણે આઠે કર્મોને અને શરીરને પણ બાળે છે. છેવટે અગ્નિ શાંત થાય છે. મારુતી ધા૨ણાઃ સમસ્ત લોકમાં પ્રચંડ વાયુ વહી રહ્યો છે અને બળી ગયેલા દેઠુ અને કર્મોની રાખને ઉડાવીને દૂર દૂર લઈ જાય છે. વારુણી ધારણા: ભીતરના આકાશમાં ચઢી આવેલા વાદળોના કાફલા અમૃતને વરસાવી રહ્યા છે તેથી આત્મા સ્નાનશુદ્ધ બની જાય છે. તત્ત્વવતી ધા૨ણાઃ દેહ મળ અને કર્મ મળ રહિત હું નિરાકાર છું.. હું નિરંજન છું... હું સિદ્ધ છું... હું બુદ્ધ છું... હું શુદ્ધ છે... હું અનામી છું અને અરૂપી છું આવું ચિંતન કર્યાં જ કરવાનું છે. પહેલી ધારણાથી મન સ્થિર બને છે. બીજી ધારણાથી મનને વશ કરવામાં આવે છે. ત્રીજી ધારણાથી શરીર અને કર્મને અલગ અલગ જોઈ જાણી શકાય છે. ચોથી ધારણાથી કર્મોના નાશ થવાની પ્રક્રિયાને જોઈ શકાય છે. પાંચમી ધારણાથી શરીર અને કર્મોથી રહિત શુદ્ધઆત્માનું ચિંતન થાય છે. (બ ) પદસ્થધ્યાનઃ પવિત્ર મંત્રાક્ષ-પદો જેવા કે ‘અર્હ’-અરિહંત સિદ્ધ, અરિહંત, સિદ્ધ, અભિમાતા વગેરેમાં ચિત્તને સ્થિર કરવું તે પદસ્થ ધ્યાનનું સ્વરૂપ છે. પદસ્થ ધ્યાનનો અર્થ જ થાય છે કે પદો ૫૨ ધ્યાન કેન્દ્રિત કરવું. (ડ) રૂપસ્થ ધ્યાન: સમવસરણમાં બિરાજમાન તીર્થંકર ૫૨માત્માનું સ્વરૂપ ચિંતવવું તેને રૂપસ્થ ધ્યાન કહે છે. તીર્થંકરના ચાર મૂળ અતિશયોનું ચિંતન પણ કરી શકાય છે. ભગવાનની મૂર્તિ, છળી વગેરે ૫૨ ધ્યાન કરવું તે રૂપસ્થ ધ્યાનના પ્રકારો છે. (ડ) રૂપાતીત ધ્યાનઃ શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે, अमूर्तस्य चिदानंद रूपस्य परमात्मानः। निरंजनस्य सिद्धस्य, ध्यानं स्याद्रूप वजिंतम् ॥
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy