________________
૪૫
ઈબ્દોપદેશ મહાત્માઓ શાને માટે ઉદ્યમી હોય છે? –
શ્લોક-૪૫
परः परस्ततो दुःखमात्मैवात्मा ततः सुखम् । अत एव महात्मानस्तन्निमित्तं कृतोद्यमाः ।। અન્ય તે અન્ય ત્યાં દુઃખ, આત્મા આત્મા જ તે સુખી;
આત્માર્થે જ મહાત્માની, સાધના સર્વતોમુખી. અન્વયાર્થ – [પર: પર:] પર તે પર છે, [તતઃ પુરવી તેનાથી દુઃખ થાય છે અને [ગાત્મા માત્મા છવો આત્મા તે આત્મા જ છે, [તતઃ સુર] તેનાથી સુખ થાય છે; [ગત: ] તેથી જ [મહાત્માન: મહાત્માઓએ તિગ્નિમિત્ત] તેના નિમિત્તે (સુખાર્થે). [વૃતોદ્યમી:] ઉદ્યમ કર્યો છે. અર્થ – આત્માથી જુદાં શરીરાદિ અન્ય તે અન્ય જ છે, તેનાથી દુઃખ જ થાય છે અને આત્મા તે આત્મા જ છે, તેનાથી સુખ જ થાય છે. એટલા માટે જ મહાત્માઓએ આત્માની સાધના કરવા માટે જ સર્વ પ્રકારે પુરુષાર્થ કર્યો છે.