________________
૪૪
ઈબ્દોપદેશ સ્વાત્માનુભવમાં રતિ હોવાથી યોગીને અન્ય પ્રવૃત્તિમાં અભાવ –
બ્લોક-૪૪
अगच्छंस्तद्विशेषाणामनभिज्ञश्च जायते । अज्ञाततद्विशेषस्तु बध्यते न विमुच्यते ॥ અન્યત્ર ના ગતિ તેથી, અન્યને ના અનુભવે;
અનન્ય ઉપયોગી તે, અબંધ મુક્તિ ભોગવે. અન્વયાર્થ – [ગછિન] અન્યત્ર પ્રવૃત્તિ નહીં કરતા યોગી [તત્ વિશેષાનો તેના વિશેષોથી (અર્થાત્ દેહાદિના વિશેષોથી; સૌંદર્ય, અસૌંદર્યાદિ ધર્મોથી) [મનમજ્ઞ: ૨ નાય] અજાણ રહે છે અને [અજ્ઞાત્ તત્ વિશેષ:] (સૌંદર્ય-અસૌંદર્યાદિ) વિશેષોનો અજાણ હોવાથી [વધ્યતે તેઓ બંધાતા નથી, તુિ વિમુચ્યતે. પરંતુ વિમુક્ત થાય છે. અર્થ – અધ્યાત્મ સિવાય બીજી જગ્યાએ પ્રવૃત્તિ ન કરનાર યોગી, જ્ઞાની મહાત્મા શરીરાદિની સુંદરતા-અસુંદરતા આદિ ધર્મોનો વિચાર કરતા નથી અને જ્યારે તેઓ તેના વિશેષોને જાણતા નથી ત્યારે તેઓ બંધને પામતા નથી, પરંતુ વિશેષરૂપે છૂટી જાય છે.