________________
ઈબ્દોપદેશ સાંસારિક સુખની અવાસ્તવિકતા –
શ્લોક-૯
वासनामांत्रमेवैतत्सुखं दुःखं च देहिनाम् । तथा ह्युद्वेजयन्त्येते भोगा रोगा इवापदि | જીવોની વાસનામાત્ર, એ ઇન્દ્રિય સુખો દુઃખો;
ભોગ તે રોગવત્ પીડા, આપે આપત્તિમાં જુઓ. અન્વયાર્થ - વિહિનામ] દેહધારીઓનાં [તત્ સુર દુ: ] તે સુખ તથા દુઃખ [વાસના માત્રમ્ વ] કેવળ વાસનામાત્ર જ હોય છે, [તથા હિં] વળી [તે મોn:] તે સુખ-દુઃખરૂપ) ભોગો [પરિ] આપત્તિના સમયે રિો T: રૂ] રોગોની જેમ (પ્રાણીઓને) [āનયત્તિ] ઉજિત (આકુલિત) કરે છે. અર્થ - દેહધારીઓનાં - બહિરાત્માઓનાં સુખ-દુઃખ તે તો વાસનામાત્ર જ છે. કેવળ કલ્પનાજન્ય છે. આપત્તિ કે શત્રુ આદિ દ્વારા આવી પડેલી વિપત્તિ આદિ દુર્નિવાર પ્રતિકૂળ સંજોગોમાં તે ભોગ રોગ સમાન પીડા, આકુળતા આપનાર થઈ પડે છે. સાંસારિક પ્રાણીઓનાં આવાં સુખ-દુઃખ તે દુઃખરૂપ થઈ આખરે ક્લેશનાં જ કારણ થઈ પડે છે.