________________
પંચાસ્તિકાય વિવેચન : જેને રાગદ્વેષ મહ નથી તેને સંવર થાય છે. પછી આત્મધ્યાનમાં લીનતા થાય ત્યારે ઘણા કર્મની નિર્ભર કરે છે. जस्स ण विज्जदि रागो दोसो मोहो व जोगपरिकम्मो । तस्स सुहासुहडहणो झाणमओ जायए अगणी ॥१४६॥
यस्य न विद्यते रागो द्वेषो मोहो वा योगपरिकर्म । तस्य शुभाशुभदहनो ध्यानमयो जायते अग्निः ॥१४६।।
- અર્થ જેને રાગ, દ્વેષ તેમજ મેહ અને યોગપરિણમન વર્તતાં નથી તેને શુભાશુભ કર્મને બાળીને ભસ્મ કરવાવાળે ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે.
વિવેચન : રાગદ્વેષ દૂર થયા વિના આત્મધ્યાન ન થાય. સાથે માન્યતા સાચી જોઈએ. જે ન હોય તેને જીવ માની બેસે છે. હું કાઉસગ્ન કરું છું, પણ શું કર્યું? ઉપયોગ પરમાં છે. પિતાના સ્વરૂપનું ભાન ઓળખાણ નથી. સમક્તિ નથી ત્યાં ખરી સમાધિ નથી. મનવચનકાયાની બાહ્યપ્રવૃત્તિને રેકીને અગ્નિશિખાની જેમ જ્ઞાનમાં સ્થિર થવું તે ધ્યાન છે.
જ્યાં શુદ્ધભાવ છે એવા પંચપરમેષ્ઠીમાં ભાવ રાખવાના છે. ધ્યાન એટલે આત્મા સ્થિર થાય તે. “શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ.” जं सुहमसुहमुदिण्णं भावं रत्तो करेदि जदि अप्पा । सो तेण हवदि बंधो पोग्गलकम्मेण विविहेण ॥१४७॥
यं शुभाशुभमुदीर्णं भावं रक्तः करोति यद्यात्मा । . स तेन भवति बद्धः पुद्गलकर्मणा विविधेन ॥१४७॥
વિવેચન : ઉદયાગત કર્મ અનુસાર રક્ત થઈને જીવ