________________
પંચાસ્તિકાય
૧૧
भावा जीवाद्या जीवगुणाश्चेतना चोपयोगः । सुरनरनारकतिर्यञ्चो जीवस्य च पर्यायाः बहवः ॥१६॥
અર્થ : જીવ આદિ પદાર્થો છે. જીવને ગુણ ચૈતન્યઉપગ છે. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચાદિ તેના અનેક પર્યાયે છે.
વિવેચન : જીવ પહેલે છે. તે ચેતનાથી ઓળખાય છે. જે જાણે છે તે જીવ છે. મહાવીર ભગવાન કોઈ એક ગામે પધાર્યા. તે ગામમાં બ્રાહ્મણની એક ખાલી યજ્ઞશાળા હતી. ભગવાને બ્રાહ્મણને કહ્યું, આ યજ્ઞશાળામાં હું ચોમાસું રહું ? બ્રાહ્મણે કહ્યું, યજ્ઞશાળા ખાલી જ છે માટે ભલે રહે. પછી ભગવાન ત્યાં ચોમાસું રહ્યા. ત્યાં દેવે વાંદવા આવતા તે દેખી બ્રાહ્મણને વિચાર આવ્યો કે જગતમાં જાણવા ગ્ય શું છે? તે આ પુરુષને પૂછું. પછી તે ભગવાન પાસે આવ્યો અને પૂછયું કે “આત્મા છે? તે શું છે? ભગવાને કહ્યું કે તને હું બોલું છું એમ થાય છે? એ હું છું એમ થાય છે તે જ આત્મા છે. બ્રાહ્મણને તરત આત્મા છે એમ શ્રદ્ધા થઈ ગઈ. જ્ઞાનીના વચનથી આત્માની ઓળખાણ થાય છે. मणुसत्तणेण गट्टो देही देवो हवेदि इदरो वा। उभयत्त जीवभावो ण णस्सदि ण जायदे अण्णो ॥१७॥
मनुष्यत्वेन नष्टो देही देवो भवतीतरो वा । उभयत्र जीवभावो न नश्यति न जायतेऽन्यः ॥१७॥
અર્થ મનુષ્ય પર્યાય નાશ પામેલ એ જીવ તે દેવ અથવા બીજે સ્થળે ઉત્પન્ન થાય છે. બન્ને સ્થળે જીવભાવ ધ્રુવ છે. તે નાશ પામીને કંઈ બીજે થતું નથી.