________________
પરીક્ષાપત્ર -
૫. (અ) હા કે (બ) ના માં જવાબ આપો:૧. નિત્ય એટલે અનંતાનંત પર્યાયોનો સામાન્યાંશ ? ૨. નિત્ય એટલે વૃત્તિનો અનુયુતિથી રચિત પ્રવાહ ? ૩. જો પર્યાયને દ્રષ્ટિના વિષયમાંથી બહાર કાઢવા જતાં કાળને બહાર
કાઢી નાખીશું તો વસ્તુ ખંડિત થઈ જશે ? ૪. દ્રષ્ટિના વિષયમાં અનંતાનંત પર્યાયોનો સામાન્ય અંશ સામેલ છે? ૫. દ્રષ્ટિ સ્વયં દ્રષ્ટિના વિષયમાં આવે છે ? ૬. દ્રષ્ટિના વિષયમાં પર્યાયોનો ભેદ સામેલ નથી, પરંતુ પર્યાયોનો
અનુસ્મૃતિથી રચિત પ્રવાહ સામેલ છે ?
- પ્રકરણ-૪ઃ પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ
(અ) સાચું કે (બ) ખોટું બતાવો
૧. કાળના અભેદને પર્યાય કહે છે. ૨. કાળના ભેદને પર્યાય કહે છે. ૩. કાળનો ભેદ દ્રષ્ટિના વિષયમાં સામેલ છે. ૪. કાળનો અભેદ દ્રષ્ટિના વિષયમાં સામેલ છે. ૫. સમયસાર ગાથા ૭માં ગુણભેદરૂપ પર્યાયનો નિષેધ કર્યો છે. ૬. ગુણોને ક્રમભાવી પર્યાય કહે છે. છે. પર્યાયને સહભાવી પર્યાય કહે છે. ૮. પર્યાય શબ્દના અનેક અર્થ થાય છે. તેથી દ્રષ્ટિના વિષયમાં
પર્યાય સામેલ નથી-એ સમજવા માટે અત્યંત સાવધાની રાખવાની જરૂર છે.