________________
જ્ઞાનગોષ્ટિ
વગર કદી કોઈ નયાતીત થઈ શકતું જ નથી. નયાતીત થવા માટે આ દ્રષ્ટિનો વિષય સમજવો અત્યંત આવશ્યક છે.
પ
જેમ નિશ્વય અને વ્યવહાર એમ બે નય છે, તેમ બીજા બે નય પણ છે : દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. જે પરમશુદ્ઘનિશ્ચયનયનો વિષય છે તે જ પરમભાવગ્રાહી શુદ્વ દ્રવ્યાર્થિનયનો પણ વિષય છે. જેમ નિશ્વય-વ્યવહારના માધ્યમથી પરમશુદ્ઘનિશ્ચયનયના વિષયભૂત ભગવાન આત્મા સુધી પહોંચી શકાય છે, તેમ આ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયના માધ્યમથી પણ ભગવાન આત્મા સુધી પહોંચી શકાય છે. પહોંચવાની જગ્યા એક છે, એને બે પદ્ધતિઓના માધ્યમથી પહોંચાય છે.
નયાતીત–પક્ષાતીત થવાની પદ્ધતિ એ છે કે પહેલાં વિકલ્પાત્મક જ્ઞાનમાં એ વાતનો સાચો અને પાકો નિર્ણય થવો જોઈએ.. કપડું સાબુ લગાડીને ધોવાથી સાફ થાય છે. જો ધોવું જ હતું, તો સાબુ લગાડ્યો જ શા માટે ? અથવા હોડીમાંથી ઉતરવું જ હતું તો બેઠાં જ શા માટે? આ વાત બરાબર નથી.
જ
એવી જ રીતે નિર્વિકલ્પ થવું હોય તો વિકલ્પની ઉત્પત્તિ કરીએ જ શા માટે ? એ વાત બરાબર નથી. વિકલ્પની ઉત્પત્તિ કરવી જ પડશે. નયચક્રમાં પહેલાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે નયોની ભેદકલ્પનાથી તો વિકલ્પોની ઉત્પત્તિ થાય છે, અને પછી જવાબ આપ્યો છે કે આ જગતે અસત્ કલ્પનાઓ ઘણી કરી રાખી છે; એનો નિષેધ કરીને સત્ કલ્પનારૂપ નયોને કહીએ છીએ. જે ઉલટું સુલટું આપણે સમજી રાખ્યું છે, તે પહેલાં વિકલ્પાત્મક જ્ઞાનમાં સરખું કરવાનું છે.
જેમ કોઈ દાક્તર વિદ્યાર્થી માટે હાર્ટનું ઓપરેશન કરતાં પહેલાં એ અત્યંત જરૂરી છે કે હાર્ટ વિષેનું શાસ્ત્રીય જ્ઞાન બરાબર મેળવી લે; હાર્ટની એક એક નસ વિષે બરાબર જાણકારી પ્રાપ્ત કરી લે; પ્રાધ્યાપકના