SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮. ભાવ-ગુણોનો અભેદ જેવી રીતે વસ્તુમાં ક્ષેત્રની અખંડતા હોય છે, કાળની અખંડતા હોય છે; તેવી જ રીતે વસ્તુમાં ગુણોની અખંડતા પણ હોય છે. ૪૭ શક્તિઓના પ્રકરણમાં પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા હતા કે ‘એક ગુણનું રૂપ બીજા ગુણમાં છે' – તે ગુણોની અખંડતાનું સૌથી મોટું કારણ છે. જો એક ગુણનું રૂપ બીજા ગુણમાં ન હોય, તો ગુણો વિખરાઈને અલગ-અલગ થઈ જશે. જો જ્ઞાનગુણમાં અસ્તિત્વગુણનું રૂપ ન હોય, તો જ્ઞાનગુણનું અસ્તિત્વ જ નહીં રહે; પછી જ્ઞાન ગધેડાના શીંગડા સમાન થઈ જશે. અસ્તિત્વગુણમાં જો પ્રમેયત્વગુણનું રૂપ ન હોય, તો અસ્તિત્વગુણને જાણી શકાશે નહિ. જો જ્ઞાનગુણ અનંત ગુણોમાં વ્યાપ્ત ન હોય, તો જ્ઞાનગુણ જ ચેતન હશે, આત્માના બાકીના ગુણ અચેતન રહેશે; કારણ કે જ્ઞાનદર્શનને જ ચેતના કહેવામાં આવે છે. આ રીતે વસ્તુમાં ક્ષેત્રની અખંડતા અને કાળની અખંડતાની સાથે સાથે ગુણોની એટલે કે ભાવની અખંડતા પણ હોય જ છે.
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy