________________
દ્રષ્ટિનો વિષય –
- ૧૯ • દ્રષ્ટિના વિષયની અહીં કહેલી વ્યાખ્યાને નીચે બતાવેલા ચાર્ટ પરથી સહેલાઈથી સમજી શકાશે. '
દ્રવ્યાર્થિકનયની પર્યાયાર્થિકનયની
અપેક્ષાએ અપેક્ષાએ દ્રવ્ય -દ્રવ્ય. ૧. સામાન્ય. ૫. વિશેષ ગુણ વસ્તુ - ક્ષેત્ર.... ૨. અભેદ. ૬. ભેદ પર્યાય] કાળ... ૩. નિત્ય.... ૭. અનિત્ય
ભાવ. ૪. એક... ૮. અનેક • સામાન્ય, અભેદ, નિત્ય અને એક - આ ચારેય દ્રવ્યાર્થિકનયના વિષય હોવાથી દ્રવ્ય' કહેવાય છે; વિશેષ, ભેદ, અનિત્ય અને અનેક – આ ચારેય પર્યાયાર્થિકનયના વિષય હોવાથી પર્યાય કહેવાય છે.
• સામાન્ય, અભેદ, નિત્ય અને એક - આ ચારેયનો અભેદ એક તે દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે. તેને જ આપણે આપણી શ્રદ્ધાનું શ્રદ્ધેય, જ્ઞાનનું શેય અને ધ્યાનનું ધ્યેય બનાવવાનું છે. તેના જ આશ્રયથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
(હરિગીત) Vદ્રવ્યથી સામાન્ય છે ને નિત્ય છે જે કાળથી,
અભેદ છે જે ક્ષેત્રથી ને એક છે જે ભાવથી; અખંડ છે દ્રવ ક્ષેત્ર તેમજ કાળ ભાવથી તે વળી, દ્રવદ્રષ્ટિ કરી એમાં રમું નિત હું અહો ! આનંદથી. દ્રવક્ષેત્રને વળી કાળ ભાવથી ના કદી ખંડિત બનું, સુવિશુદ્ધ માત્ર જ જ્ઞાન છું, શુદ્ધાત્મ ધુવસ્વરૂપી હું /