SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ગદષ્ટિ સમુચ્ચય આસને બેસી ધ્યાન કરી શકે છે. બલાદષ્ટિમાં બેધ ઘણે સારે. અને દઢ કાછગ્નિના પ્રકાશ સમાન હોય છે. ગુરુ પાસેથી જે સત્ય વસ્તુને બેધ થયેલ છે તે અમલમાં મૂકવાના સમયે તે બેધની સ્મૃતિ રહે છે. બલાદષ્ટિમાં તત્વજ્ઞાન શ્રવણ કરવાની. ઈચ્છા ઘણી જ પ્રબલ હોય છે. તેમ જ યોગને અભ્યાસ કે ધ્યાન કરે ત્યારે તે વિષયને છોડી બીજા વિષયમાં પ્રવૃત્તિ કરવા રૂપ ક્ષેપ નામને દોષ અહીં રહેતું નથી. ધાર્મિક અનુષ્ઠાને કરવામાં પણ કંટાળો આવતું નથી. તેમ જ તે ધાર્મિક અનુષ્ઠાને બરાબર લક્ષપૂર્વક કરે છે. આ પ્રમાણે બલાદષ્ટિમાં યોગના આઠ અંગોમાંથી ત્રીજું આસન નામનું અંગ પ્રાપ્ત થાય છે. આઠ ગુણોમાંથી તત્ત્વ શ્રવણ નામને ગુણ પ્રાપ્ત થાય છે, અને આઠ દોષમાંથી ત્રીજે ક્ષેપ નામને દોષ અહીં રહેતે નથી. આ પ્રમાણે બલાદષ્ટિમાં આ ગુણ પ્રાપ્ત થાય છે. ૪૯ વિશેષ ગુણેની પ્રાપ્તિ નાસ્યાં સત્યામસષ્ણા પ્રકૃવ નિવતે. તદડભાવાશ્ચ સર્વત્ર સ્થિતમેવસુખાસનમ યોગા વિવેચન—આ બલાદષ્ટિ જીવાત્માને જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે તેનામાં એક એવા પ્રકારની સ્થિરતા આવી જાય છે કે, તેથી તેને અસત્ નાશવાન ઉપર તૃષ્ણા થતી નથી. સામાન્ય જીવને પુદ્ગલિક વસ્તુ પ્રાપ્ત કરવાની બહુ તૃષ્ણા હોય છે, અને તૃષ્ણાવશાત્ અનેક કષ્ટો સહન કરી વસ્તુ પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યા કરે છે. વસ્તુ પ્રાપ્ત થવી કે ન થવો તે તે સ્વાધીન નથી, કર્માધીન છે; છતાં તૃષ્ણને આધીન થઈ અનેક પ્રકારે વલખા મારે છે. આવી વ્યાકુળતા ઉપજાવનાર તૃષ્ણ બલાદષ્ટિમાં નિવૃત્ત
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy