SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિ સમુચ્ચય સંમત હોય તે તે પિતાને લાભપ્રદ જાણું તરત જ અમલમાં મૂકે છે. વળી તે દૃષ્ટિવાળામાં હઠાગ્રહ, કદાગ્રહ હોતા નથી. પરમત સહિષ્ણુતા હોય છે. પિતે શિષ્ટ સંમત માગે ચાલે છે પણ પિતાથી વિપરીત માગે ચાલનાર છ ઉપર દ્વેષભાવ ન રાખતાં તેઓને સુમાર્ગ પર લાવવા પિતાથી બનતે પ્રયત્ન કરે છે. અને તેમ છતાં જે તે સન્માર્ગગામી ન બને તે તેના પર ઉપેક્ષા બુદ્ધિ કરે છે પણ દ્વેષભાવ તે કયારેય પણ કરતું નથી. તેમ જ સત્ય વસ્તુની શોધ માટે તનતોડ પ્રયત્ન કરે છે. મારું તે જ સાચું એ વાત ન કરતાં સત્ય તે જ મારે તેને સ્વીકાર કરે છે. અને દાંભિકવૃત્તિને સર્વથા ત્યાગ કરે છે. જેમ જેમ આત્મજાગૃતિ વધતી જાય છે તેમ તેમ તેની ઉન્નતિ થતી જાય છે. ૪૮. ઇતિ તારા નામની બીજી દષ્ટિ સમાપ્તમ, બલા દૃષ્ટિનું વર્ણન સુખાસનસમાયુક્ત બેલાયાં દર્શન દઢમ | પરા ચ તત્ત્વશુશ્રષા ન ક્ષેપો યોગગોચર કલા વિવેચન-ત્રીજી બલાદષ્ટિમાં સાધ્યનું દર્શન કાંઈક વિશેષ દઢ થાય છે, અહીંયા આત્મા ગ્રંથિ ભેદની નજીક આવી જાય છે. તેથી કરી હવે બલાદષ્ટિવાળા જીવાત્માની ઉન્નતિ ઘણું સારી રીતે થાય છે. આસન સ્થિર થાય તે ધ્યાન સારું થાય છે, એથી આ દષ્ટિમાં કેગના આઠ અંગેમાંથી ત્રીજું આસન નામનું અંગ પ્રાપ્ત થાય છે, પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન, સુખાસન વગેરે આસનેમાંથી ગમે તે અનુકૂળ આસનને સિદ્ધ કરે છે, એથી ત્રણ ત્રણ કલાકથી વધારે એક
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy