SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગિદષ્ટિ સમુચ્ચય ૧૭. જરા, આધિ, વ્યાધિ અને ઉપાધિ રહિત નિરુપાધિ સુખ પ્રાપ્ત કરે છે. કર્મબીજ સર્વથા દગ્ધ થવાથી ભવાંકુર હવે ઉત્પન્ન થતું નથી. આ આઠમી પર દષ્ટિનું અંતિમ ફળ છે. આ બીજે યોગ સંન્યાસ નામને સામર્થ્યયોગ શશીકરણ અવસ્થામાં થાય છે એમ યોગાચાર્યો જણાવે છે. આ સર્વે બાબત આગમથી સિદ્ધ છે. આ વાતને સાબિત કરવા પ્રાચીન સિદ્ધાંતની ગાથાઓને અર્થ બતાવે છે. “યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ” આ ત્રણ કરણે ભવ્ય જેને હોય છે. અભવ્ય અને પ્રથમ યથાપ્રવૃત્તિકરણ માત્ર હેય છે. કરણ એટલે એક જાતને આત્માને પરિણામ (ભાવ) જ્યાં ગ્રંથિ છે ત્યાં પહેલું કિરણ હોય છે, ગ્રંથિને ભેદ કરતાં બીજું કરણ પ્રાપ્ત થાય છે. અનિવૃત્તિકરણથી આ જીવ સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે. દુઃખે કરીને ભેદી શકાય, એવી પ્રગાઢ અને ગુપ્ત એવી લાકડાની ગાંઠ જેવા જીવના કર્મથી ઉત્પન્ન થયેલે ગાઢ રાગદ્વેષના પરિણામ (ભાવ) તેને ગ્રંથિ કહે છે. આ ગ્રંથિને ભેદ થયા પહેલાં જીવ મિથ્યાત્વી હતું. પરંતુ ગ્રંથિને ભેદ થવાથી તે સમ્યક્ત્વ જ્ઞાનવાન બને છે. થોડું પણ સમ્યકજ્ઞાન ઘણું ઉત્તમ છે અને અસંમેહનું કારણ બને છે. નારાયાજા સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જે કર્મની સ્થિતિ બાકી રહી છે. તેમાંથી બે પલ્યોપમથી નવ પલ્યોપમ જેટલી કર્મની સ્થિતિ ઓછી થાય ત્યારે દેશવિરતિ શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સાગરેપમ જેટલી કર્મની સ્થિતિને ક્ષય કરે ત્યારે પ્રથમ ચારિત્ર પ્રાપ્ત થાય છે. તે પછી સંખ્યાત સાગરોપમ કર્મની સ્થિતિને છે. ૧
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy