SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ પ્રબોધક ભાવનાઓ સત્વર થાય છે અને પુરુષાર્થથી સંપૂર્ણ સિદ્ધિ મળે છે. દઢ ભાવના વડે જ દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે. જેવું બીજ તેવું વૃક્ષ ઉત્પન્ન થાય છે, એવી રીતે જેવા વિચાર હોય, તેવું ચારિત્ર બને છે, એ માટે અશુભ વિચારેને ત્યાગી સદા સર્વદા સુવિચારો જ કરવા જોઈએ. વિચાર વડે જ ચારિત્ર ઘડાય છે. પિતાની ભાવના અનુસાર જીવન બને છે, માટે ઉત્તમ ભાવને જ દિલમાં સ્થાન આપવું જોઈએ. જે મનુષ્ય હું. દુઃખી છું, રેગી છું, નિર્બળ છું, વૃદ્ધ બની જઈશ, સફળતા નહિ મળે વગેરે હલકા વિચાર કરે છે તે તે જ બની જાય છે. અને જે માણસ એમ વિચારે છે કે હું સુખી છું, નીરોગી છું, બળવાન છું, સદા યુવાન રહીશ, બધા ઈષ્ટ કાર્યમાં સફળ થઈશ વગેરે ઉત્તમ વિચાર કરે છે તે તે બને છે. અહિંસા, સત્ય, નીતિ, પરોપકાર વગેરેના વિચારે કરવાથી તેવા જ ગુણ પિતામાં પ્રગટ થાય છે. જ અભસે છે, ગુણં ચ દોષ ચ ઇત્ય જમમિ, તે પાવઈ પુણભવે, અબભાણ પુણે તેણ” શા અર્થ –જે જે ગુણ અગર દેષ આ જન્મમાં ધારણ કરેલ હોય તેવા જ ગુણદોષ પૂર્વ જન્મમાં પૂર્વના અભ્યાસથી તે શીધ્ર ઉત્પન્ન થાય છે. એથી સદ્ગણોને અભ્યાસ સતત કરે જોઈએ. કર્મનું બંધન તથા તેને નાશ ભાવ અનુસાર જ હરસમય થયા કરે છે. સુષુપ્ત અવસ્થામાં, જાગ્રત અવસ્થામાં, હાલતા,
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy