SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ગદષ્ટિ સમુચ્ચય ૧૧૫ વિવેચન–તેરમા-ગુણસ્થાનકે બિરાજમાન થઈને અનેક ભવ્ય જીવોના અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરાવી, તેઓને જડચૈતન્યનું ભેદવિજ્ઞાન સમજાવી, મેક્ષમાર્ગના અધિકારી બનાવી, તે માર્ગે તેઓને પ્રયાણ કરાવે છે. તે છતાં પોતે તે આત્માનંદમાં મસ્ત રહી સ્વાભાવિક આનંદની પરાકાષ્ઠા (અંતિમ) અનુભવે છે. કેટલાક સમય એવી ઉત્કૃષ્ટ અવસ્થામાં પૃથ્વીતલને પાવન કરી છેવટે શૈલેશીકરણ અવસ્થામાં યંગસંન્યાસ નામને સામર્થ્યથેગ પ્રાપ્ત થતાં મન, વચન અને કાથાના યેગને નિરોધ કરી બાકીના ચાર અઘાતી કર્મો વેદનીય, નામ, ગોત્ર, આયુને ક્ષય કરી અગી અવસ્થા પ્રાપ્ત થતાં ભવ વ્યાધિને ક્ષય કરી પરમ શાંતિમય એવું મક્ષસ્થાન પ્રાપ્ત કરે છે અને ત્યાં સદાકાળ રહે છે, એ સ્થિતિમાંથી ફરી કમલેશમય સંસારમાં આવતા નથી. ત્યાં સંપૂર્ણ આત્મિક સુખરસને નિરંતર અનુભવ કરે છે. આ સ્થિતિને પ્રાપ્ત કરવી એ સર્વ જીવનું સાધ્ય છે, અને તેના માટે આ સર્વ પ્રયત્ન કરવા એ સાધના છે. આ સ્થિતિમાં જે આનંદ છે તે વર્ણાતીત છે, વચનાતીત છે. ૧૧૯. મુનિમાં નિવૃત્તાત્મા કેવા હોય તેનું વર્ણન. વ્યાધિ મુક્તઃ પુમાન લોકે યાદશસ્તાદશૌયમ ! નાભાવો ન ચ ને મુકત વ્યાધિનાવ્યાધિતો ન ચ ારવા વિવેચન-કઈ દર્શનકાર મુક્તિમાં ગયેલ જીવાત્માને બુઝાઈ ગયેલ દીપક સમાન અભાવ રૂપ માને છે. એ મતનું ખંડન કરતાં શાસ્ત્રકાર જણાવે છે કે-જેમ જગતમાં કેઈ મનુષ્ય
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy