SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ગદષ્ટિ સમુચ્ચય વિવેચન–પ્રથમ જે બીના જણાવી તેનો ઉપનય ઘટાવતાં જણાવે છે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય એ ચાર ઘાતકર્મ રૂપ આત્મા સૂર્ય ઉપર આવરણ કરનાર વાદળાં જાણવા. જેમ પવનના ઝપાટાથી વાદળાં દૂર થાય છે, તેમ બીજા અપૂર્વકરણના સમયે જે ધર્મસંન્યાસ નામનો યોગ તે રૂપ પવનના ઝપાટાથી ચાર ઘાતી કર્મરૂપ વાદળાં દૂર થાય છે અને આત્મિક પુરુષાર્થ વડે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વજ્ઞ બને છે. ૧૧૭. ક્ષણદેષોડથ સવાર સર્વલબ્ધિ ફલાન્વિત: પર પરાર્થ સંપાઘ તો ચોગાનમgn It૮ વિવેચન—ઉપરના લેકમાં સર્વજ્ઞ બને છે તેમ જણાવ્યું તે વાતને વિશેષ પ્રકારે સ્પષ્ટ કરતાં જણાવે છે કે, જ્યારે દાનાદિ અંતરા તથા હાસ્યાદિ વગેરે સમગ્ર દોષે ક્ષય થાય ત્યારે જિન, એહિજિન, પરમ હિજિન વગેરે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થતાં સર્વજ્ઞ–સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણ, પર્યાય દ્રવ્યને જાણનારા બને છે. સર્વ જાતની ઉત્સુકતા (આતુરતા) નાશ પામે છે, અને પરોપકાર ખાતર આ પૃથ્વીતલમાં વિચરી અનેક ભવ્ય અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવી મહાન ઉપકાર કરે છે, ત્યાર પછી પરમપદ પામવાના સમયે યોગસંન્યાસ પ્રાપ્તિની શરૂઆત થાય છે. એ વેગ પ્રાપ્ત થતાં શું લાભ થાય તે જણાવે છે. ૧૧૮. - તત્ર દ્વાગેવ ભગવાન ગાદ્યોગસત્તમાતા ભવ વ્યાધિ ક્ષયે કૃત્વા નિવાણું લભતે પરમ્ ૧લા
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy