SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ-સેાપાન લાંબા કાળ સુધી દુઃખ પામે તે કેવળ પિતાના અને પરના ભેદવિજ્ઞાન વિના જ બન્યું છે. તે સમસ્ત પદાર્થોને પ્રકાશ કરનાર ભેદવિજ્ઞાનરૂપ દીપક જાજ્વલ્યમાન છતાં આ મૂઠ લેક સંસાર રૂપી કાદવમાં કેમ ડૂબે છે? પિતાનું સ્વરૂપ પિતાનામાં જ પિતાની મેળે પ્રગટ અનુભવમાં આવે છે તેને છોડીને અન્યમાં પોતાને માનીને વૃથા ખેદ કરે છે. અજ્ઞાનીને આ લેકમાં જે જે પરવસ્તુઓ ઉપર વિશ્વાસ છે, પ્રીતિ છે તે બધી આપદાઓનું સ્થાન છે. જે આનંદનું સ્થાન છે તેનાથી તે ભય પામે છે. અજ્ઞાન ભાવને કઈ એ જ પ્રભાવ છે. બંધનું કારણ તે પદાર્થના જ્ઞાનમાં ભ્રાંતિ છે અને ભ્રાંતિ રહિત ભાવ તે મેક્ષનું કારણ છે. બંધ થાય છે તે પરના સંગે થાય છે અને પરદ્રવ્યથી અસંગરૂપ ભેદવિજ્ઞાનના અભ્યાસ વડે મેક્ષ થાય છે. જે સર્વ ઇદ્રિયને વિષયમાં પ્રવર્તતી અટકાવી ક્ષણમાત્ર પિતાના અંતરાત્મામાં સ્થિર કરે તેને પરમાત્માનું સ્વરૂપ ભાસે છે; તે પરમેષ્ઠીના સ્વરૂપનું સ્મરણ કરે છે કે સિદ્ધઆત્મા છે તે રૂપ હું છું, જે મારું સ્વરૂપ છે તે પરમેશ્વર છે. તેથી મારા સ્વરૂપથી અન્યની મારે ઉપાસના કરવા યોગ્ય નથી; કેઈ બીજાથી મારી ઉપાસના બનવા ગ્ય નથી. જે બ્રાંતિ રહિત થઈને દેહથી ભિન્ન આત્માને નથી જાણતે તે તીવ્ર તપ કરતે હોય તે પણ કર્મના બંધનથી છૂટતું નથી. જે ભેદવિજ્ઞાનરૂપ અમૃત પીવાથી આનંદી બને છેતે ભારે તપ કરે તે પણ શરીરમાં થતા કલેશથી ખેદ પામતું નથી. જેનું ચિત્ત રાગદ્વેષાદિ મળરહિત નિર્મળ છે તે જ પિતાના સ્વરૂપને સમ્યફ પ્રકારે
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy