________________
(૮૩૨)
૧૨૭
૮૬
વવાણિયા, જ્યેષ્ઠ, ૧૯૫૪ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ ચૈાતિસ્વરૂપ એવા આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યંજના ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશે.
સર્વ જગતના જીવેા કંઇ ને કંઇ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; માટે ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહા ! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખના માર્ગ નિીત કર્યાં કે કિંચિત્માત્ર પણ ગ્રહનું એ જ સુખનેા નાશ છે.
વિષયથી જેની ઇંદ્રિયા આર્ત્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ કયાંથી પ્રતીતિમાં આવે
પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવા પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું.
અમારે પરિગ્રહને શું કરવા છે?
કશું પ્રયેાજન નથી.
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.’
હે આર્યજના ! આ પરમ વાકચને આત્માપણે તમે અનુભવ કરો.