________________
તે પુરુષ (જેમાં સદૃગુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તે નિશ્ચય છે, કે મેક્ષ હથેળીમાં છે, ઈષપ્રાગભારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશે.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.
મેહમયી, આસો વદિ ૧૦, શનિ, ૧૯૪૫ બીજું કાંઈ શેધ મા. માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મોક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.
સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે. બાકી તે કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારે કઈ કાળે છૂટકે થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણું.
એક પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.
વિ. રાયચંદના પ્રણામ.