________________
થાય છે, તે અંતરસંશાધન કેઈક મહાભાગ્ય સગુરુ અનુગ્રહ પામે છે.
તમારા વિચારો સુંદર શ્રેણીમાં આવેલા જોઈ મારા અંતઃકરણે જે લાગણી ઉત્પન્ન કરી છે તે અહીં દર્શાવતાં સકારણ અટકી જઉં છું.
ચિવ દયાળભાઈ પાસે જશો. કંઈ દર્શાવે તે મને જણાવશે.
લખવા સંબંધમાં હમણું કંઈક મને કંટાળે વર્તે છે. તેથી ધાર્યો હતો તેના આઠમા ભાગને પણ ઉત્તર લખી શક્તો નથી.
છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશે કે –
એક ભવના છેડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવા પ્રયત્ન પુરુષો કરે છે.
સ્યાપદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તે પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરે? આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જેવાં જોઈએ.
સપુરુષનું ગબળ જગતનું કલ્યાણ કરો.
એમ ઈચ્છી વળતી ટપાલે પત્ર લખવા વિનંતી કરી પત્રિકા પૂર્ણ કરું છું.
લિ. માત્ર રવજીઆત્મજ રાયચંદના પ્રણામ-નીરાગ શ્રેણી સમુચ્ચયે.