SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સમાધિ-સોપાન સત્ય, હિતકારી, મધુર વચન વડે, પરમાગમને અનુકૂળ વચને વડે, પરમેષ્ઠીના સ્તવન વડે, સિદ્ધાંતની વાચના તથા વ્યાખ્યાન વડે, ન્યાયરૂપ વચને વડે પુણ્યને આસવ થાય છે. પરની નિંદા, પિતાની પ્રશંસા, અન્યાય પ્રવૃત્તિ જે વચન વડે થાય તેવાં વચન, આરંભ-હિંસા કરાવનાર, વિષયવાસને વધારનાર, કષાય અગ્નિ પ્રગટાવનાર, કલહ, વિસંવાદ, શેક અને ભય વધારનાર, ધર્મ વિરુદ્ધ મિથ્યાત્વ અને અસંયમને પિષનાર, અન્ય જીવને દુઃખ, અપમાન, ધન અને આજીવિકાની હાનિ કરાવનાર છે. તે વચનોથી પાપનો આસવ થાય છે. પરમેષ્ટીપૂજન અને પ્રણામ, જિનમંદિરનાં કાર્યરૂપ સેવા, ધર્માત્મા પુરૂષોની વૈયાવૃત્ય (સેવા ચાકરી) તથા યતનાચારથી જીવદયાપૂર્વક સૂવું, બેસવું, ફરવું, લેવું, મૂકવું, સેંપવું, ખાવું, પીવું, બિછાવવું, હાલવું, ચાલવું ઇત્યાદિ કાયાની પ્રવૃત્તિ શુભ (પુણ્ય) આસવનું કારણ છે. યનાચાર વિના દયારહિત, સ્વછંદે દેહની પ્રવૃત્તિમાં પ્રવર્તવું, મહા આરંભ આદિમાં પ્રવર્તવું, દેહને ભાવવામાં પ્રવર્તવું એ બધાં કાયાના કાર્યથી અશુભ (પાપ) આસવ થાય છે. આ મન, વચન, કાયાની શુભ, અશુભ પ્રવૃત્તિ, તીવ્ર મંદ કષાયના યોગે, તીવ્ર–મંદ અનેક ભેદરૂપ કર્મને બંધમાં નિમિત્તરૂપ થાય છે. આને વિચાર કરવાથી આત્મા અશુભ પ્રવૃત્તિ રોકી શુભ પ્રવૃત્તિમાં સાવધાન થઈને પ્રવર્તે છે.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy