SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ : સ્વાધ્યાય સંચય (૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે; દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણી, દયાનિધિ દીન પર દયા કીજે. તા - ૧ રાગદ્વેષે ભર્યો, મોહ વૈરી નડ્યો; લોકની રીતિમાં ઘણુંયે રાતો; ક્રોધવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, ભમ્યો ભવમાંથી હું વિષય માતો. તા ૦ ૨ તા ૦ ૩ તા ૦ ૪ આદર્યું આચરણ, લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વલી, આત્મ અવલંબવિનું, તેહવો કાર્ય તિણે કો ન સીધો. સ્વામી દરિસણ સમો, નિમિત્ત લહી નિર્મલો, જો ઉપાદાન એ શુચિ ન થાશે; દોષ કો વસ્તુનો, અહવા ઉદ્યમ તણો, સ્વામી સેવા સહી નિકટ લાશે. સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિસણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીપી વસે મુક્તિ ધામે. જગત વત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્યો; તારજો બાપજી બિરુદ નિજ રાખવા, દાસની સેવના રખે જોશો. તા ૦ ૫ તા ૦ ૬
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy