SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૨૧૯ નાથ હું જેવો તેવો પણ તારો, મને રંકને પાર ઉતારો; નાથ હું જેવો તેવો પણ તારો. જોગ ધ્યાન ને જપ તપ તીરથ, નાથ નથી રે નીપજતાં; મનડું પાપી મારે કૂદકા, ભગવત તુજને ભજતાં. નાથ ૦ મધ્ય દરિયે જીવ મચ્છ મૂંઝાણો તૃષ્ણાને નથી જતો; સામે ભાળે કાળ ખડો પણ, નફટ કાંઈ નથી સજતો. નાથ અંતરની દુગ્ધાને વારે, તન મન વ્યાધિ ટાળે; દેવ દયાનિધિ, નવીન પાપીને, આપ વિના કોણ તારે? " નાથ હું જેવો તેવો પણ તારો. જન્મમરણનાં દુઃખ તણો, કદી ન આવ્યો પાર; આ ભવ મુજ સાર્થક થયો, સદ્ગુરુ તારણહાર. સદગુરુ તારણહાર. જે મૃત્યુથી જગ ડરે, તે મુજ મહોત્સવ થાય; આત્મજ્ઞાની ગુરુ ઉર ધર્યા, સત્ સમાધિ સુખદાય; સદ્ગુરુ તારણહાર. કાયા હું મારી ગણી, ભવ ભવ ભમ્યો અપાર; શુદ્ધ બુદ્ધ ચૈતન્ય હું, એ ભાળે ભવપાર. સદગુરુ તારણહાર. ત્રણ જગમાં સર્વોપરી, સાર રૂપ મુજ એક; નિજ સહજાત્મ સ્વરૂપ એ, ધ્યાવું ધરી વિવેક. સદ્ગુરુ તારણહાર. ધ્યાવું ભાવું અનુભવું, નિજપદ કરું વિરામ; સદ્ગુરુ રાજ કૃપા થકી, વરું સિદ્ધિ અભિરામ. સદ્ગુરુ તારણહાર.
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy