SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૧૮૧ બાલપણે ઉચ્ચ વિચારો ચિંતવ્યા, જન્મ-જીવન-મૃત્યુના ઊંડા મર્મ જા; વીત્યું જીવન ગૃહસ્થાશ્રમને આંગણે, વ્યાપારે પણ નીતિ ન્યાય ને ધર્મ જો. ‘પરમ ધરમ અહિંસા' સહુ વદતા ફરે, (પણ) મોહ-મમત્વે વાડાના વિસ્તાર જો; ખંડન મંડન ટાળી ધર્મની એકતા, સમજાવી ભવ્યોને કરી પડકાર જો. રાગદ્વેષ જ્યાં પૂર્ણપણે ક્ષય પામતા, કેવળજ્ઞાન થશે એવો નિરધાર જો; સત્ય સનાતન દર્શન એ વીતરાગનું, શિવપદ પ્રાપ્તિનો છે એહુ આધાર જો. અંખડ જાગૃતિ શ્રદ્ધા શુદ્ધોપયોગથી, આત્મ-ઉઘાડે ઊઘડે મુક્તિદ્રાર જો; શ્રીમદ્ સદ્ગુરુનાં આત્માર્થી વચનો લહી, નિ:શંક થઈને સાધક પામે સાર જો. દૃષ્ટિરાગ ટળે આવે મધ્યસ્થતા, ટળે કદાગ્રહ આવે વિશાળ ભાવ જા; દર્શનની નિર્મળતા પ્રગટે આત્મમાં, રાજબોધના લેજો રૂડા લા’વ જો. * મને મળિયા શ્રી સદ્ગુરુ રાયા રે, મારી સફળ થઈ ગઈ કાયા કાયા સફળ થઈ માયા મટી ગઈ, કલિમલ સર્વ કપાયા; કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર આદિ રિપુ, નાઠા થઈને રઘવાયા રે જિન૦ ૩ જિન ૪ જિન ૦ ૦ ૫ જિન ૬ જિન ૦ —ટેક. ૦ ૭ —મારી ૦
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy