________________
૧૫ર : સ્વાધ્યાય સંચય
શ્રી અમિત ગતિ આચાર્ય કૃત
' સામાયિક પાઠ સૌ પ્રાણી આ સંસારનાં, સન્મિત્ર મુજ વહાલાં થજો. સદ્ગણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; દુ:ખિયા પ્રતિ કરુણા અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો દયમાં સ્થિરતા. ૧ અતિ જ્ઞાનવંત અનંત શક્તિ, દોષહીન આ આત્મ છે, એ માનથી તરવાર પેઠે, શરીરથી, વિભિન્ન છે; હું શરીરથી જુદો ગણું, એ જ્ઞાનબળ મુજને મળો, ને ભીષણ જે અજ્ઞાન મારું, નાથ! તે સત્વર ટળો. ૨ સુખદુ:ખમાં અરિમિત્રમાં, સંયોગ કે વિયોગમાં, રખડું વને વા રાજભુવને, રાચતો સુખ ભોગમાં; મમ સર્વ કાળે સર્વ જીવમાં, આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મુજ મોહ કાપી, આ દશા કરુણાનિધિ! ૩ તુજ ચરણકમળનો દીવડો, રૂડો Æયમાં રાખજો, અજ્ઞાનમય અલંકારના, આવાસને તમે બાળજો; તરૂપ થઈ એ દીવડો, હું સ્થિર થઈ ચિત્ત બાંધતો, તુજ ચરણયુગ્મની રજમહીં, હું પ્રેમથી નિત્ય ડૂબતો. ૪ પ્રમાદથી પ્રયાણ કરીને, વિચરતાં પ્રભુ! અહીં તહીં, એકેન્દ્રિયાદિ જીવને, હણતાં કદી ડરતો નહીં; છેદી વિભેદી દુ:ખ દઈ મેં ત્રાસ આપ્યો તેમને, કરજો ક્ષમા મુજ કર્મ હિંસક, નાથ! વીનવું આપને. ૫ કષાયને પરવશ થઈ બહુ, વિષય સુખ મેં ભોગવ્યા, ચારિત્રના જે ભંગ વિભુ, મુક્તિ પ્રતિકૂળ થઈ ગયા; કુબુદ્ધિથી અનિષ્ટ કિંચિત્, આચરણ મેં આદર્યું, જોકર ક્ષમા સૌ પાપ તે, મુજ રંકનું જે જે થયું. ૬