________________
૧૧૨ : સ્વાધ્યાય સંચય
૭. અનન્ય શરણ : માનું તને એક જગનાથ સ્વામી, સૌ કર્મ-અરિ હણનારો, માત્ર તને નમું, ર્દયે ધરું નિત્ય, તુજ સેવાસ્તુતિ કરનારો; તારું એક જ શરણું ગ્રહી રહું છું, હવે કહું શું બહું હું? તુજ વિણ કોઈની સાથે પ્રયોજન, ભવમાં ન હોશો એ યાચું.
હે! ગુરુરાજ
૮. નવ પ્રકારના પાપની નિંદા : પાપ કરાવ્યું, કર્યું, ભલું માન્યું, મન-વચને વળી કાયે, વર્તમાન, ભૂત, ભાવિ કાળે મેં, એવા ભેદો નવ થાય; હે જિનરાજ! હું પામર, પાપી, આત્મનિંદા કરું આજે, આપ સમક્ષ ઊભો ઊભો યાચું, સૌ પાપ અફળ થવા કાજે.
હે! ગુરુરાજ છે
૯. આલોચનાનો હેતુ : હે જિનરાજ! તું જાણે છે સઘળું, ત્રિકાળનું એક કાળે, અનંત ભેદે લોક અલોકના, પર્યાય સર્વ નિહાળે; તો તમે નાથ, શું જાણો નહિ કંઈ, આ ભવમાં મુજ પાપો! તો પણ કહું તુમ આગળ તે, શુદ્ધ થવા સપશ્ચાત્તાપો.
હે! ગુરુરાજ છે
૧૦. નિ:શલ્યતા : વ્યવહાર નથી મૂલ ઉત્તરગુણ-ધારી મુનિ-ધર્મમાં જે, દોષો થયેલા યાદ રહ્યા છે, તે દૂર કરવાને કાજે; પ્રભુ તમારી આગે આલોચું, માયા મિથ્યાદિ વૃથા હો, નિ:શલ્ય હૈયું કરે સમજુ જન, સર્વથા સંત પ્રથા જો.
છે. ગુરુરાજ