SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ : સ્વાધ્યાય સંચય રે. તારાં દર્શનથી જિનરાય રે, મારાં મહા પાપોય પળાય રે; રવિ ઊગ્ય ન લાગે વાર રે, જાય રાત્રિતણો અંધકાર રે. ૫ તારાં દર્શનથી જિનરાય રે, એવો પુણ્ય ઉદય મને થાય રે, જેથી આ ભવમાં રિદ્ધિ પામી રે, થાય પરભવમાં સિદ્ધિ સ્વામી રે. ૬ તારાં દર્શનથી જિનરાય રે, એવો પુણ્ય લાભ મને થાય રે, જેથી થશે અનુપમ સુખ રે, અક્ષય મોક્ષથી ટળશે દુ:ખ રે. ૭ તારાં દર્શનથી જિનરાય રે, સંતોષ પરમ મને થાય રે, ઇન્દ્રવૈભવ પણ તૃણ લાગે રે, લેશ તૃષ્ણા નહિ ઉરે જાગે રે. ૮ તારાં દર્શન તો ભગવંત રે, નિર્વિકાર ને ઉપશમવંત રે; તેથી ઉલ્લાસ જેને ન થાય રે, તેના જન્મ મરણ નહિ જાય રે. ૯ તારાં દર્શન કરી જિનરાય રે, બીજાં કામે મારું મન જાય રે; તે તો પૂર્વકનો દોષ રે, રહે ઉર અતિશય રોષ રે. ૧૦ તારાં દર્શનથી જિનનાથ રે, ભવાંતરની જવા ઘો વાત રે, આ ભવમાં ઝટ સુખ થાય રે, દુ:ખમાત્ર દર્શનથી જાય રે. ૧૧ તારાં દર્શનથી જિનરાય રે, દિન આજ ઉત્તમ ગણાય રે, બીજા બધા દિનોમાં આજ રે, સફળતાથી બની શિરતાજ રે. ૧૨ તારાં દર્શનથી ભગવંત રે, માનું મંદિર બહુ મૂલ્યવંત રે; સર્વ સંપત્તિસૂચક સ્થાન રે, થાય સૌભાગ્યનું અનુમાન રે. ૧૩ તારાં દર્શનથી જિનરાય રે, ભક્તિ જળથી ક્ષેત્ર ભીંજાય રે દિલે રોમાંચ જે દેખાય રે, પુણ્ય અંકુર સમ સોહાય રે. ૧૪ તારાં દર્શનથી જિનભૂપ રે, શ્રુત-અમૃત સાગર રૂપ રે; રાગી, દ્વેષી દેવો ન મનાય રે, કેમ કાચ તે હીરા ગણાય રે? ૧૫ તારાં દર્શનથી જિનરાય રે, મોક્ષ દુર્લભ તોયે થાય રે મનનો મિથ્યાત્વ મળ જો જાય રે, તો તો મોક્ષ સમીપ ભળાય રે. ૧૬
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy