________________
સ્વાધ્યાય સંચય : ૯૭
શ્રી પદ્યનંદિ પંચવિંશતિમાંથી
કેટલાક પદ્યાનુવાદો
જિનવર દર્શન
પ્રાસ્તાવિક પદ્ય
૧. ધન્ય રે દિવસ આ અહો! પ્રભુદર્શન આજ પમાય રે; સુધર્મ પ્રભાત પ્રગટ થતાં, દુ:ખસ્વપ્નની રાત્રિ ગમાય રે. ૨. મોહ અંધારે હું આથડયો, વીત્યો રે કાળ અનંત રે; માર્ગદર્શક સત્ય ના મળ્યા, દીઠા નહિ ભગવંત રે. ૩. મારું મારું પરને ગળ્યું, ધરી વેશ અનેક પ્રકાર રે; ત્રિવિધ તાપમાં હું બળ્યો, ટળ્યો નહિ અહંકાર રે. ધ ૪. ભીડ-ભંજન ભગવંત તું, ગ્રહું શરણ અનન્ય રે; ચરણકમળમાં રાખો, ગુરુકૃપા ધન્ય ધન્ય રે.
કરે
ધ
ધ
૧૦
૧
૫. જ્ઞાન અનંતાનંત તુજ, દર્શને મોક્ષસ્વરૂપ રે; અચળ અનંત છે શક્તિ તુજ, મુજ લક્ષ રહો એ રૂપ રે. ધ (રાગ-એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે ભામે રે.) તારા દર્શનથી જિનરાજ રે, સર્યાં સર્યાં મારાં સહુ કાજ રે; ભમ્યો અંધ બની ભવ માંહી રે; કાળ અનંત, પામ્યો ન કાંઈ રે. તારાં દર્શનથી જિનરાજ રે, મારાં નયન સફળ થયા આજ રે; શીઘ્ર શીતળ તન મન થાય રે, જાણે આજ અમૃત વરસાય રે. તારાં દર્શનથી જિનરાજ રે, ટળ્યાં મોહ-પડળ મુજ આજ રે; વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે, હતું તેવું દીઠું મેં અનૂપ રે. તારાં દર્શનથી જિનરાજ રે, .ઉર આનંદ આજ ન માય રે; હવે આત્મા ન ઇચ્છે કાંઈ રે, જાણે મુક્ત થયો હું આંહી રે.
૨
૪
જી