SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૯૭ શ્રી પદ્યનંદિ પંચવિંશતિમાંથી કેટલાક પદ્યાનુવાદો જિનવર દર્શન પ્રાસ્તાવિક પદ્ય ૧. ધન્ય રે દિવસ આ અહો! પ્રભુદર્શન આજ પમાય રે; સુધર્મ પ્રભાત પ્રગટ થતાં, દુ:ખસ્વપ્નની રાત્રિ ગમાય રે. ૨. મોહ અંધારે હું આથડયો, વીત્યો રે કાળ અનંત રે; માર્ગદર્શક સત્ય ના મળ્યા, દીઠા નહિ ભગવંત રે. ૩. મારું મારું પરને ગળ્યું, ધરી વેશ અનેક પ્રકાર રે; ત્રિવિધ તાપમાં હું બળ્યો, ટળ્યો નહિ અહંકાર રે. ધ ૪. ભીડ-ભંજન ભગવંત તું, ગ્રહું શરણ અનન્ય રે; ચરણકમળમાં રાખો, ગુરુકૃપા ધન્ય ધન્ય રે. કરે ધ ધ ૧૦ ૧ ૫. જ્ઞાન અનંતાનંત તુજ, દર્શને મોક્ષસ્વરૂપ રે; અચળ અનંત છે શક્તિ તુજ, મુજ લક્ષ રહો એ રૂપ રે. ધ (રાગ-એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે ભામે રે.) તારા દર્શનથી જિનરાજ રે, સર્યાં સર્યાં મારાં સહુ કાજ રે; ભમ્યો અંધ બની ભવ માંહી રે; કાળ અનંત, પામ્યો ન કાંઈ રે. તારાં દર્શનથી જિનરાજ રે, મારાં નયન સફળ થયા આજ રે; શીઘ્ર શીતળ તન મન થાય રે, જાણે આજ અમૃત વરસાય રે. તારાં દર્શનથી જિનરાજ રે, ટળ્યાં મોહ-પડળ મુજ આજ રે; વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે, હતું તેવું દીઠું મેં અનૂપ રે. તારાં દર્શનથી જિનરાજ રે, .ઉર આનંદ આજ ન માય રે; હવે આત્મા ન ઇચ્છે કાંઈ રે, જાણે મુક્ત થયો હું આંહી રે. ૨ ૪ જી
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy